ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઈરસને લીધે એક ભય નો માહોલ ઉભો થયો છે. ચીન થી શરૂ થયેલો આ વાયરસ વિશ્વના 114 દેશમાં ફેલાઈ ગયો છે.પરિણામે ભારતે વિદેશી પર્યટકો ઉપર 15મી એપ્રિલ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે અને કોરોનાને લીધે અત્યારસુંધી માં કુલ 4,291 લોકોના મોત થયા છે અને 125000 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.અગાઉ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ 30મી જાન્યુઆરી કોરોનાને લીધે ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી હતી.ભારતમાં પણ કોરોનાના લગભગ 73 કેસની પૃષ્ટી થઈ ચકી છે, ત્યારે દેશમાં આ મહામારીને ફેલાતી અટકાવવા માટે 15,એપ્રિલ સુધી ટ્રાવેલ બેન મુક્યો છે. ભારતમાં વિદેશી નાગરિકો માટે મૂકવામાં આવેલ ટ્રાવેલ પ્રતિબંધ ને લઈ સ્થાનિક અર્થતંત્રને ભારે ફટકો પડશે , હોસ્પિટાલિટી, ઉડ્ડયન સેક્ટર તેમ જ સ્થાનિક સ્તરે પર્યટન સ્થળો પરની આજીવિકા પર પણ પ્રતિકૂળ અસર થશે. ટૂરિઝમ ક્ષેત્રમાં એક મહિનામાં ભારતને લગભગ 223 અબજનું નુકસાન થઇ શકે છે, આમ કોરોના ઇફેક્ટ ને લઈ તેની અર્થતંત્ર ઉપર અસર થઈ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.