ઈન્ડિગો એરલાઈન્સના કર્મચારીઓ દ્વારા દિલ્હી એરપોર્ટ પર મુસાફર સાથે મારપીટનો વિડીયો વાયરલ થયો હતો વિવાદ વકરતા સમગ્ર મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો(બીસીએએસ) પાસેથી રિપોર્ટ માગ્યો છે. નાગરિક ઉડ્ડયનમંત્રી અશોક ગજપતિ રાજુએ કહ્યું કે સભ્યસમાજમાં મુક્કાબાજી કે મારામારી જેવી બર્બર ઘટનાને કોઈ સ્થાન નથી. રિપોર્ટના આધારે દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. તેમણે સ્વીકાર્યુ કે એરલાઈન્સે નિયમનો ભંગ કર્યો છે. ઘટનાને ત્રણ અઠવાડિયાં વીતી ગયાં છે.ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પેસેન્જર સાથે મારપીટ અને અયોગ્ય વર્તણૂંકનો મામલો સામે આવ્યો હતો. આ વીડિયોના વિવાદથી મામલો બીચકયો હતો
આ અંગે બીસીએએસએ ઈન્ડિગોને નોટિસ મોકલાવી છે. તેમણે કહ્યું કે અેરપોર્ટના સુરક્ષિત વિસ્તારમાં આવી ઘટના સુરક્ષાની દૃષ્ટિએ ઘાતક છે. દરમિયાન ઈન્ડિગોના ત્રણ કર્મચારીઓનું એરપોર્ટમાં પ્રવેશની પરમિટ પણ સસ્પેન્ડ કરી દેવાઈ છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.