સમગ્ર દુનિયા આજે ભયાનક વાયરસ કોરોના સામે ઝઝૂમી રહી છે. જેના ફેલાવાના અનેક કારણો સામે આવ્યા છે. જેમાંથી એક કારણ કરન્સી નોટની લેવડદેવડ પણ છે. કેન્દ્રીય બેંક આરબીઆઈએ સંકેત આપ્યા છે કે, કરન્સી નોટોથી બેક્ટેરિયા અને વાયરસ એક હાથમાંથી બીજા હાથમાં ફેલાઈ શકે છે. તેથી કરન્સીની જગ્યાએ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો વધુમાં વધુ ઉપયોગ કરવો હિતાવહ છે. CAITએ હાલમાં જ RBIએ એક પત્ર લખીને જવાબ આપ્યો હતો કે, આરબીઆઈ પણ આ અંગે મેલ દ્વારા જવાબ ફોરવર્ડ કરી દીધો છે. CAIT દ્વારા માર્ચ 2020માં કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખી જણાવ્યુ હતું કે, શું લિક્વીડ કરન્સી દ્વારા બેક્ટેરિયા અથવા વાયરસ ફેલાઈ શકે ખરો ? જેના જવાબ આપી નાણામંત્રીએ આરબીઆઈને જણાવ્યુ અને 3 ઓક્ટોબર 2020ના રોજ આરબીઆઈએ પણ મેલ કરીને આ અંગે જવાબ આપી દીધો છે. કૈટને મોકલાવેલા જવાબમાં રિઝર્વ બેંકે લખ્યુ છે કે, કોરોના વાયરસને ઓછો કરવા માટે લોકોએ પોતાના ઘરેથી જ સુવિધાપૂર્ણ મોબાઈલ બેંકીંગ, ઈન્ટરનેટ બેંકીંગ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ જેવી ઓનલાઈન ચેનલોના માધ્યમથી ડિજીટલ ટ્રાન્જેક્શન કરવા જોઈએ. આરબીઆઈ તો કોરોનાથી બચવા માટે એટીએમમાંથી પૈસા કાઢવાથી બચવુ જોઈએ તેવી સલાહ આપી છે. 29 ઓગસ્ટ 2019ના રોજ આરબીઆઈની વાર્ષિક રિપોર્ટમાં કહેવાયુ છે કે, ચલણમાં રહેલી નોટોનું મૂલ્યની માત્રા 17 ટકા અને 6.2 ટકાથી વધીને વર્ષ 2018માં અને 2019માં 21,109 બિલિયન અને 108,759 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. મૂલ્યના સંદર્ભમાં રૂપિયા 500 અને રૂપિયા 2000ની નોટોની ભાગીદારી, જે માર્ચ 2018માં બેંક નોટ્સની કિંમત મૂલ્ય કુલ 80.2 ટકા હતી, જે માર્ચ 2019માં વધીને 82.2 ટકા થઈ ગયુ છે. 1 જૂલાઈ 2018થી 30 જૂન 2019 દરમિયાન કરન્સી મુદ્રણ પર કુલ ખર્ચ 48.11 બિલિયન રહ્યુ હતું જે વર્ષ 2017-18માં 49.12 બિલિયન હતું.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.