પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ઉપર નજર રાખવા માટે ઈસરો દ્વારા એક સેટેલાઈટ લોંચ કરવામાં આવશે. EMISAT નામના સેટેલાઈટ ઉપર છેલ્લાં આઠ વર્ષથી કામ થતું હતું અને આખરે એમાં સફળતા મળી હતી. આ ઉપગ્રહ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિ ઉપર નજર રાખશે અને તેનાથી લશ્કરને માહિતગાર કરશે.
આ ઉપગ્રહ ભારતની ઈલેક્ટ્રોનિક્સ ગુપ્તચર એજન્સીનું કામ કરશે. સીમાપાર થતી માનવીય હિલચાલ ઉપર અને ઈલેક્ટ્રોનિક્સ ઈક્વિપમેન્ટ ઉપર આ ઉપગ્રહ નજર રાખશે. EMISAT સેટેલાઈટ ૭૪૯ કિલોમીટરની ઊંચાઈએ સ્થિર થઈને કામગીરી કરશે એવું ઈસરોના વિજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
આ સિવાય ૧લી એપ્રિલે થનારા સેટેલાઈટ લોન્ચિંગમાં ૨૮ વિદેશી ઉપગ્રહોનું પણ ઈસરો લોન્ચિંગ કરશે. અમેરિકા સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, લિથુઆનિયા સહિતના ડઝનેક દેશોના વિવિધ ૨૮ ઉપગ્રહો ભારત અવકાશમાં છોડશે. આ ઉપગ્રહો ૫૦૪ કિલોમીટરની ઊંચાઈએ સ્થિર રહીને જે તે દેશ માટે કામ કરશે.