નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના Mi-17V-5 હેલિકોપ્ટરની ઘાતક દુર્ઘટના જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકો માર્યા ગયા હતા. ઘણા ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓને આશ્ચર્યમાં નાંખી દીધા જેઓ વિમાનની વિશ્વસનીયતાની પુષ્ટી કરતા આવ્યા છે. “સુલુરથી વેલિંગ્ટનની ફ્લાઇટનો સમય માત્ર 20 થી 25 મિનિટનો છે. આટલા ટૂંકા ફ્લાઇટના સમયગાળામાં શું ખોટું થયું હશે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે.”
ભારતીય વાયુસેનાના પૂર્વ વડા એર ચીફ માર્શલ ફલી એચ મેજરે લેન્ડિંગમાં કોઈ સમસ્યા ન હોવાનું જણાવતા કહ્યું હતું કે વેલિંગ્ટનમાં હેલિપેડની ઊંચાઈ પણ વધારે નહતી, તે લગભગ 5,000 ફૂટ છે.
જણાવી દઈએ કે જનરલ રાવત ડિફેન્સ સ્ટાફ એકેડમીની મુલાકાત લેવા તમિલનાડુના વેલિંગ્ટન જઈ રહ્યા હતા ત્યારે નજીકના રસ્તાથી લગભગ 10 કિમી દૂર નીલગિરિમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જહાજ પરના 14 લોકોમાંથી નવ મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર હતા. જેમાંથી માત્ર એક જ બચી શક્યો હતો. અકસ્માતમાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં જીવનની લડાઈ લડી રહ્યા છે.
ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે Mi-17V-5 હેલિકોપ્ટર વાયુસેનાનું સૌથી ભરોસાપાત્ર વર્કહોર્સ છે. તે સુધારેલ એવિઓનિક્સ સાથે રશિયન બનાવટના Mi 17 હેલિકોપ્ટરના કાફલામાં તેનો સમાનેશ કરવામાં આવ્યો છે અને ભારત પાસે તે મોટી સંખ્યામાં છે. જે 2008 અને 2018 ની વચ્ચે ખરીદવામાં આવ્યા હતા અને સામેલ કરવામાં આવ્યા હતા.
આ વિમાનને “ઉત્તમ” અને “સુરક્ષિત” ગણાવતા ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ અને સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે તે પડકારજનક પરિસ્થિતિઓ અને સિયાચીન ગ્લેશિયર જેવા સ્થળોએ સેંકડો કલાકો સુધી ઉપયોગમાં લેવાય છે. તેની વિશ્વસનીયતા અને સુરક્ષાએ તેને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત VIP માટે પસંદગીનું પરિવહન બનાવી દીધું છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે શું ખોટું થયું છે? તો ભૂતપૂર્વ વાયુસેના વડાએ કહ્યું કે હેલિકોપ્ટરમાં વૉઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે, જે આપણને તપાસમાં મદદ કરશે. ભારતીય વાયુસેનાએ પહેલાથી જ અકસ્માતની તપાસના આદેશ આપી દીધા છે.