જાધવ અને તેમના પરિવાર માટે સોમવાર એક ‘મોટો દિવસ’ સાબિત થશે પાકિસ્તાની વિદેશ કાર્યાલયે જણાવ્યું છે કે ભારતીય કેદી કુલભષણ જાધવને મળવા માટે તેમની પત્ની અને માતા સોમવારે આવી જશે. બંને ઇસ્લામાબાદ પહોંચશે અને મુલાકાત પછી તે જ દિવસે પરત ભારત અાવશે.
જણાવી દઈઅે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે શનિવારના રાત્રે ટ્વિટ કરી કહ્યું હતું કે ભારતે અમને જણાવ્યું હતુ કે કમાન્ડર જાધવની માતા અને પત્ની 25 ડિસેમ્બરના રોજ એક ફ્લાઇટથી અહીં આવે છે અને તે જ દિવસે પાછા ફરશે. આ મુલાકાત દરમિયાન ઇસ્લામાબાદમાં ભારતીય અધિકારી જે.પી. સિંહ પણ જધવની પત્ની અને માતા સાથે હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની લશ્કરી અદાલતમાં જાસૂસી અને આતંકવાદ સંબંધિત આરોપો હેઠળ એપ્રિલમાં 47 વર્ષીય જાધવને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટના વલણ સામે ભારતની અરજી પર આંતરરાષ્ટ્રીય અદાલતમાં પોતાની છેલ્લી અદાલતની સુનાવણી થાય ત્યાં સુધી સજાના પ્રબંધન રોકવામાં આવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.