આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવના મામલામાં લેખિત દલીલો રજૂ કરવા માટે ભારત અને પાકિસ્તાન માટે ક્રમશઃ ૧૭મી એપ્રિલ અને ૧૭મી જુલાઈની સમય મર્યાદા નક્કી કરી છે. પાકિસ્તાનની લશ્કરી અદાલતે ૪૭ વર્ષીય જાધવને જાસુસી અને આતંકવાદના મામલામાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. ત્યારબાદ ભારત વિતેલા વર્ષ મે મહિનામાં હેગની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજૂઆત કરવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. ૪૭ વર્ષીય જાધવને મૃત્યુદંડની સજા બાદ ભારતે આના પર પ્રતિબંધ મુકવાને લઇને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી. ત્રીજી મેના દિવસે આંતરરાષ્ટ્રીય કોર્ટે ૧૦ સભ્યોની પીઠે આ મામલામાં નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી પાકિસ્તાનને જાધવની સજાને અમલી ન બનાવવા માટે આદેશ કર્યો હતો. હવે ભારતને જવાબ આપવા માટે ૧૭મી એપ્રિલની મહેતલ આપવામાં આવીછે. ગયા વર્ષે ત્રીજી માર્ચના દિવસે બલુચિસ્તાન પ્રાંતમાં પકડી પાડવામાં આવેલા જાધવ ઉર્ફે હુસૈનમુબારકને પકડી પડાયા પછી તેને લઇને રાજકીય ગરમી જામી હતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.