જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ હવે વધુ સક્રિય થયું હોવાનું ઘટસ્ફોટ સુત્રો દ્વારા મળ્યા છે. અફગાનિસ્તાન યુદ્ધમાં લડત લડી ચુકેલા આતંકીઓને ભારત વિરૂદ્ધ યુદ્ધ કરવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી હોવાની તૈયારીઓ સામે આવી છે.
પાકિસ્તાનમાં ટ્રેનિંગ બાદ ભારતમાં ઘુસણખોરી આ સંગઠન કરાવી રહ્યું છે. સીધી રીતે લડવાને બદલે આતંકી આકાઓ નવા આતંકીઓને જેહાદીનો પાઠ ભણાવી રહ્યા છે. અને કોમ માટે શહીદ થવાની ટ્રેનિંગ ઘેરમાર્ગે દોરીને આપી રહ્યા છે.
આતંકીઓની આ લિસ્ટમાં અબ્દુલ ગાજી સૌપ્રથમ લિસ્ટમાં મોખરે છે. ગાજી 9 મી ડિસેમ્બરના રોજ ઘાટી વિસ્તારમાં આવ્યો છે. અને 18મી સપ્ટેમબર 2018ના રોજ તે પુલવામાં પહોંચ્યો હતો. આ આતંકી યુવાનોનું બ્રેઇન વોશ કરવામાં પણ માહેર છે. અને તેમને જેહાદના પાઠ શિખવે છે.