જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારના રોજ ૩ એસપીઓ સહિત ૪ પોલીસકર્મી ગુમ થયાના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સૂત્રોના મતે સ્થાનિક આતંકીઓએ આ પોલીસકર્મીનું અપહરણ કર્યું છે. જેમાં ૩ સ્પેશ્યલ પોલીસ ઓફિસ (એસપીઓ) અને ૧ પોલીસકર્મી સામેલ છે. બીજીબાજુ બાંદીપોરામાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. અહીં અથડામણમાં ૨ આતંકી ઠાર થઇ ચૂકયા છે અને ઓપરેશન હજુ ચાલુ છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીને પોલીસકર્મીઓને રાજીનામું આપવાની કે મરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી. હિઝબુલના ધમકીભર્યા પોસ્ટર જમ્મુ-કાશ્મીરના કેટલાંય ગામમાં લગાવ્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરાઇ રહ્યો હતો. પોલીસકર્મીઓને રાજીનામાં આપવાની ધમકી તેમાં કહ્યું હતું કે જે લોકો પોલીસમાં નોકરી કરી રહ્યાં છે તેઓ ચાર દિવસની અંદર પોતાના રાજીનામાં આપી દઇએ નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. ૨ મિનિટના આ વીડિયોમાં પોલીસના પરિવારને પણ નિશાન બનાવાની ધમકી આપી હતી. એટલું જ નહીં રાજીનામાંની કોપી પણ ઇન્ટરનેટ પર અપલોડ કરવાનું કહ્યું હતું. પંચાયત ચૂંટણીમાં અડચણો ઉભી કરવાની કોશિષ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા આ ધમકી એ સમયે સામે આવી રહી છે જયારે કેન્દ્રે જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આતંકી સંગઠન કાશ્મીરમાં પંચાયત ચૂંટણી પહેલાં દહેશત ફેલાવીને ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઉભી કરવા માંગે છે. કાશ્મીર ઘાટીમાં આની પહેલાં તમામ પોલીસકર્મીઓના અપહરણ કરી હત્યા કરાઇ હતી. આતંકીઓએ કેટલાંય પોલીસવાળાઓના પરિવારના સભ્યોને નિશાન બનાવ્યા હતા. પોલીસકર્મીના પરિવારજનોનું કરાયું હતું અપહરણ પોલીસ કોન્સ્ટેબલ ઔરંગઝેબના મામલાની પૂરી દેશમાં ચર્ચા થઇ હતી જેમને આતંકીઓએ અપહરણ કરી કરપીણ હત્યા કરી હતી. દક્ષિણ કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાંથી આતંકવાદીઓએ ૬ લોકોનું અપહરણ કર્યું હતું. આ તમામ પોલીસવાળાઓના પરિવારજનો હતા જેમને બાદમાં છોડાવી દીધા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.