સમાજવાદી પાર્ટીના મુસ્લિમ ચહેરા તરીકે જાણીતા આઝમ ખાન સામે લોકસભાની ચૂંટણી માટે ભાજપે જયાપ્રદાને ઉતાર્યા બાદ આખા દેશની નજર આ બેઠક પર છે.
જયાપ્રદા અને આઝમખાન વચ્ચેની દુશ્મની જગજાહેર છે.બુધવારે જયાપ્રદાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ એક જાહેરસભાને સંબોધન કર્યુ હતુ.તે દરમિયાન તે આઝમખાનનો ઉલ્લેખ કરીને સ્ટેજ પર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.
જયાપ્રદાએ આઝમખાન પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, આઝમખાને મારા પર એસિડ એટેક કરાવવાનો પ્રયાસ કર્યો હતો.આઝમખાનના ડરથી એક તબક્કે તો હું રાજનીતિથી દુર થઈ ગઈ હતી.
જયાપ્રદાએ રડતા રડતા કહ્યુ હતુ કે હું રડવા નહોતી માંગતી.મને હવે કોઈ ડર નથી.હું મોદીના ભાજપની બહાદુર મહિલા છું.હું આઝમખાનને ભાઈ કહેતી હતી પણ તેમણે મારી રાખડીનુ માન નથી રાખ્યુ હતુ.
બીજી તરફ આઝમખાને પણ એક સભાને સંબોધતા કહ્યુ હતુ કે, મોદી અને યોગીની સરકારો ઈચ્છતી નથી કે મારો અવાજ લોકસભા સુધી પહોંચે. તેઓ મને ઉશ્કેરી રહ્યા છે પણ હું ગાંધીમાં અને તેઓ ગોડસેમાં ભરોસો કરનારા લોકો છે.