જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ અને તેમના પત્ની અનિતા ગોયલે આજે આર્થિક કટોકટીના લીધે રાજીનામું આપ્યુ. રાજીનામું આપતાની સાથે નરેશ અને અનિતા ગોયલ જેટ એરવેઝના બોર્ડમાંથી બહાર થયા છે. જેટ એરવેઝનો 51 ટકા હિસ્સો નરેશ ગોયલ પાસે હતો. જ્યારે અબુધાની અતિહાદ એરવેઝ પાસે 24 ટકા હિસ્સો હતો.
આર્થિક સંકટના કારણે છેલ્લા ઘણા દિવસોથી કંપનીએ પોતાના 40 જેટલા વિમાનોને એરપોર્ટ પર પાર્ક કરી રાખ્યા હતા. જેટ એરવેઝ પર આઠ હજાર 200 કરોડ રૂપિયું દેવુ છે અને માર્ચ મહિનાના અંત સુધીમાં કંપનીને 1 હજાર 700 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે.
એક સપ્તાહ પહેલા દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ જેટ એરવેઝને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાના સંકેત આપ્યા હતા. જોકે, એસબીઆઈની સહાય પહેલા કંપનીના ચેરમેન નરેશ ગોયલે રાજીનામું આપી દીધુ.