જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સ્થિત પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા,જે પોલીસ સ્ટેશનની બહાર જ ફૂટતા ત્રણ નાગરિકો ગંભીર રીતે ઘવાયા હતા અન્ય કેટલાક નાગરિકોને સામાન્ય ઇજા પહોંચી હોવાના અહેવાલ છે.
ગ્રેનેડ હુમલા પછી સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માત્ર એક જ દિવસ પહેલા પુલવામાના અરિહલ ગામમાં સેના ટુકડી પર આતંકી હુમલો કરાયો હતો જેમાં બે જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં આતંકીઓએ IEDનો ઉપયોગ કર્યો હતો.
પુલવામાના અરિહલ ગામ પાસે સુરક્ષા દળની એક પેટ્રોલિંગ પાર્ટી IED હુમલાના ઝપેટમાં આવી હતી. આ પહેલા બુધવારે અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા.