કર્ણાટકમાં આજે ભારતીય જનતા પાર્ટીની બીએસ. યેદિયુરપ્પા સરકારનું ભવિષ્ય નક્કી થશે. 5 ડિસેમ્બરના રોજ રાજ્યની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી થઇ હતી. જેના પરિણામ આજે જાહેર થશે. સરકારમાં બની રહેવા માટે ભારતીય જનતા પાર્ટીને 7થી વધારે બેઠક જીતવી પડશે. આ સ્થિતિમા દરેકની નજર હવે પરિણામ પર જ ટકેલી છે.
ભાજપની વાત કરીએ તેઓ પાસે હાલમાં 105 ધારાસભ્ય છે, જેમાં એક અપક્ષ ધારાસભ્ય જોડાયેલા છે. કોંગ્રેસની આંખો પણ પરિણામ પર ટકેલી છે, કારણ કે તેમના નેતા જનતા દળ-સેક્યુલરની સાથે ફરીથી ગઠબંધનના સંકેત આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા બી.કે.પ્રસાદે કહ્યું કે પરિણામોથી દરેક વસ્તુઓ બદલાઇ જશે.
કર્ણાટમાં જે 15 બેઠકો પર વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ આવશે. તેમાં ઉઠાની, કગવાડ, ગોકક, યેલાપુર, હિરેકેરુર, રાની બેન્નૂર, વિજયનગર, ચિકબેલાપુર, કે.આર.પુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજી નગર, હોસાકોટે, કે.આર.પેટે, હુનસૂર વગેરે વિસ્તાર સામેલ છે. ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણી માત્ર 17 બેઠકો માટે જ થઇ રહી છે. તેમાં બે બેઠક પર હાઇકોર્ટે રોક લગાવી છે.