કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર ગુરૂવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પેટાચૂંટણીના પરિણામ 9 ડિસેમ્બરે આવશે. પેટાચૂંટણીના પરિણામોની રાજ્યની તમામ મુખ્ય પાર્ટીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે, કારણ કે કર્ણાટકમાં 4 મહિના જૂની BJP સરકાર પર ટકી રહેશે કે કેમ? તેનું ભાવિ આ ચૂંટણીના પરિણામથી નક્કી થશે.
ગુરૂવારે કર્ણાટકની પેટાચૂંટણીમાં અઠાણી, કગવાડ. ગોકક, યેલાપુર, હિરેકેરૂર, રાની બેન્નુર, વિજયનગર, ચિકબેલાપુર, કેઆરપુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજી નગર, હોસાકોટે, કેઆર પેટે, હુનસૂર બેઠકો પર થશે. મુસકી અને આરઆર નગર બેઠકો ર કર્ણાટક હાઈકોર્ટમાં મે, 2018 વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને દાખલ કરવામાં આવેલા કેસના કારણે રોક લગાવવામાં આવી છે.
ભાજપને બળવાખોર પર ભરોસો
ભાજપે તમામ બળવાખોર, જે કોંગ્રેસ-JDS છોડીને ભાજપમાં આવ્યા હતા, તેમને જ આ 15 બેઠકો પર ઉમેદવાર બનાવ્યા છે. ખાસ વાત એ છે કે, આ ઉમેદવારોથી તેમના પૂર્વ કેડર અને સમર્થકો તેમના વિશ્વાસઘાતની નારાજ જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભાજપના કેડર પણ તેમને ટિકિટ આપતા નારાજ છે. આ લોકોએ 14 નવેમ્બરે સત્તાધારી પાર્ટી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટે 13 નવેમ્બરે પોતાના ચુકાદામાં તેમની ગેરલાયકતા યથાવત રાખતા તેમને ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી.
જણાવી દઈએ કે, વિધાનસભા અધ્યક્ષ કેઆસ રમેશકુમારે 25 અને 28 જુલાઈએ આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા.