કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકી રહી છે.કાર્તિ ચિદમ્બરમ નજીકના સહયોગી ભાસ્કર રમનની ધરપકડ બાદ CBI કાર્તિની પણ ધરપકડ કરી શકે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતાએ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેણે દિલ્હી કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. વાસ્તવમાં સીબીઆઈ વિઝા ભ્રષ્ટાચાર કેસમાં તેમની સામે તપાસ કરી રહી છે.
બીજી તરફ CBIએ કાર્તિ ચિદમ્બરમની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જો કાર્તિની ધરપકડ કરવામાં આવશે, તો તે 48 કલાક અગાઉ નોટિસ આપશે, એમ સીબીઆઈએ જણાવ્યું હતું. જ્યારે, કોર્ટે કહ્યું કે જો સીબીઆઈ તેમની ધરપકડ કરે છે, તો તેમને ત્રણ કામકાજના દિવસ પહેલા નોટિસ આપવામાં આવે. કાર્તિના વકીલે કોર્ટને જણાવ્યું કે તે હાલમાં ભારતમાં નથી. ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યો કે આરોપીએ ભારત પહોંચવાના 16 કલાકની અંદર તપાસમાં જોડાવું પડશે.
CBIએ 18 મેના રોજ સંબંધિત કેસમાં કાર્તિ ચિદમ્બરમના નજીકના સાથી એમ ભાસ્કર રમનની ધરપકડ કરી હતી. આ પછી કોર્ટે તેને ચાર દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધો હતો. આ કેસમાં કીર્તિ ચિદમ્બરમનું નામ પણ જોડાયેલું છે. એમ ભાસ્કર રમનની ધરપકડ પહેલા CBIએ મંગળવારે કાર્તિ ચિદમ્બરમના ચેન્નાઈ અને દિલ્હીના આવાસ સહિત દેશભરમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. CBI અનુસાર, જ્યારે તેમના પિતા પી. ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહ મંત્રી હતા ત્યારે કાર્તિએ 50 લાખ રૂપિયાની લાંચ લઈને 263 ચીની નાગરિકોને વિઝા આપ્યા હોવાના તેમના પર આરોપો છે.