કેરળના ઇડુક્કી જિલ્લાના રાજમાલા વિસ્તારમાં દર્દનાક દુર્ઘટના બની છે. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજમાલાના પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં 12 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 75થી વધુ દબાયા હોવાની આશંકા છે.અહીં યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કે 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેરળ સરકારે રાહત કાર્યમાં મદદ માટે વાયુસેનાની મદદ માંગી છે. જે સ્થળે ભૂસ્ખલન થયું ત્યાં ચાના બગીચામાં કામ કરનારા મજૂરો ઝૂંપડા બાંધીને રહેતા હતા. તેની ઉપર માટી પડી હતી. મોટા ભાગના મજૂરો તમિલનાડુના રહેવાસી હતી અને તેઓ અહીં રહીને મજૂરી કરતા હતા.જે વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે તે વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં એક દિવસ પહેલા જ પેરિયાવાડ વિસ્તારમાં અસ્થાયી પૂલ ધરાશાયી થઇ ગયો. જેના કારણે રોડ કનેક્ટીવિટી કપાઇ ગઇ છે. કેરળ સરકારે ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી માટે મોબાઇલ મેડિકલ ટીમ અને 15 એમ્બ્યુલન્સનો કાફલો રવાના કર્યો છે. રાજમાલામાં ભૂસ્ખલન પીડિતોને બચાવવા માટે એનડીઆરએફની ટીમની મદદ લેવાઇ છે.હાલ આ સ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ છે, જ્યાં એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લગભગ 20 ઘરોને ભારે નુકસાન થયુ છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યુ હતું કે, રાજમાલામાં મદદ માટે હેલિકોપ્ટર સેવા આપવા માટે વાયુસેના પાસે મદદ માગી છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.