દિવાળી મહોત્સવ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ 5 દિવસોના તહેવારોમાં પહેલાં દિવસે આયુર્વેદ અને ઔષધીઓના દેવતા ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. બીજા દિવસે કાળી ચૌદશ તિથિએ ધર્મરાજની પૂજા અને દીપદાન કરવામાં આવે છે. તેના બીજા દિવસે અર્થાત્ આસો મહિનાની અમાસના દિવસે લક્ષ્મીજીની પૂજાની સાથે જ દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે અર્થાત્ એકમની તિથિએ ગોવર્ધન પૂજા અને ગુજરાતી હિન્દુઓનું નવું વર્ષ ઉજવવામાં આવશે. તેના બીજા દિવસે અર્થાત્ બીજના દિવસે ભાઈબીજના તહેવાર સાથે જ આખો દિપોત્સવી મહોત્સવ પૂરો થઈ જાય છે.
દિવાળી મહોત્સવ શા માટે?
5 દિવસો સુધી ચાલનારા આ દિવાળી મહોત્સવ મનાવવાનું કારણ એ છે કે દરેક વ્યક્તિના જીવનની 5 મહત્વપૂર્ણ વાતોની જાણકારી હોય. આ મહોત્સવનો દરેક દિવસ જીવનની એક મહત્વપૂર્ણ વાતો સમજવાની છે. આ મહોત્સવમાં સ્વાસ્થ્ય, મૃત્યુ, ધન, પ્રકૃતિ, પ્રેમ અને સદભાવનો સંદેશ છુપાયેલો છે. આ 5 જરૂરી વાતો જીવનને પૂર્ણ બનાવે છે. દિવાળી પર્વ પર લક્ષ્મી પૂજા માત્ર ધન અને સોના-ચાંદી પ્રાપ્તિની ભાવનાથી જ કરવી જોઈએ.
લક્ષ્મીનો અર્થ રૂપિયા, પૈસા, સોના-ચાંદીના ભંડાર સાથે હોય છે, પરંતુ હકીકત તદ્દન અલગ છે. મહાલક્ષ્મીથી અભિપ્રાય એ હોય છે કે સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે હોય છે. જો કોઈની પાસે ખૂબ જ વધુ ધન હોય પરંતુ સુખ અને શાંતિ ન હોય તો તેને ધનલક્ષ્મીથી સંપન્ન નથી કહી શકાતો. એ સમજવા માટે દિવાળીને પાંચ ભાગોમાં વિભાજીત કરવામાં આવી છે.
ધનતેરસ – ધનવંતરી ત્રયોદશી-
દિવાળી પૂજાની શરૂાત ધનતેરસ અર્થાત્ ધનવંતરી ત્રયોદશીથી થાય છે. આસો સુદ પક્ષની તેરસે સમુદ્રમંથનના પરિણામસ્વરૂપ ભગવાન ધનવંતરી અમૃત કલશ લઈને પ્રગટ થયાં હતાં. ભગવાન ધનવંતરીની પૂજાની પાછળ એ રહસ્ય છે કે સુખ, શાંતિ તથા સમૃદ્ધિની અનુભૂતિ માટે સર્વપ્રથમ સ્વસ્થ્ય રહેવું જરૂરી છે. એટલા માટે મુદ્રા પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ પહેલાં આરોગ્યના દેવતાની પૂજા કરવામાં આવે છે જેથી આપણે નિરોગી તથા સ્વસ્થ્ય રહી શકીએ.
કાળી ચૌદશ – રૂપ ચૌદશ
આ દિવસે ગૃહિણીઓ ઉબટન લગાવીને સ્નાન કરે છે. લક્ષ્મી પૂજા પહેલાં ગૃહલક્ષ્મીનો શ્રૃંગાર જરૂરી છે. જ્યારે ઘરમાં મહેમાન આવે છે ત્યારે પણ તેઓ પોતાને સારી રીતે રાખે છે અને જે દિવસે સાક્ષાત લક્ષ્મી આવનારી હોય તે પહેલાં રૂપને નિખારીને રાખવું જરૂરી હોય છે. એટલા માટે આ દિવસને રૂપ ચૌદશ કહેવાય છે. આ દિવસે સાંજે ધર્મરાજ યમદેવ માટે દીપદાન કરવામાં આવે છે. દીપદાનની સાથે મૃત્યુ અને તેના દેવતા યમરાજને યાદ કરવામાં આવે છે. એમ કરવા પાછળની ભાવના એ હોય છે કે સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પૃથ્વી પર જ રહી જાય છે. મૃત્યુ જ છેલ્લી ગતિ છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે આપણે લક્ષ્મીજી પાસે એટલી જ કામના કરીએ જેટલું જીવનના પાલનપોષણ માટે જરૂરી હોય છે. તેનાથી મનુષ્યના મનમાં ધન-સંપત્તિ અને સમૃદ્ધિ સાથે મોહ પેદા નથી થઈ શકતો.
મહાલક્ષ્મી પૂજન- દિવાળી
દિવાળીની પૂજામાં લક્ષ્મીજીની સાથે જ શ્રીગણેશજી અને માતા સરસ્વતી પણ હોય છે. લક્ષ્મીજીથી અભિપ્રાય આપણે ધન-સંપત્તિ સાથે જ સમજીએ છીએ પરંતુ ધન-સંપત્તિ ક્યારેય પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન નથી કરી શકતી. એ જરૂરી છે કે આપણી બુદ્ધિ સારી રહે અને સારા-ખરાબનું જ્ઞાન થતું રહે. એટલા માટે લક્ષ્મી પૂજા પહેલાં બુદ્ધિના દેવતા ગણેશજી તથા જ્ઞાનની દેવી સરસ્વતીનું પજૂન કરે છે જેથી સદબુદ્ધિની સાથે જ્ઞાનવર્ધક ધનનો સદઉપયોગ થઈ શકે. લક્ષ્મી પૂજનમાં પણ વિષ્ણુની સાથે બેઠેલાં કમલાસના લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. બીજી ઉલૂકવાહિની લક્ષ્મી હોય છે જે સદૈવ અંધકાર ઈચ્છતી હોય છે. ઉલૂકવાહિની લક્ષ્મીની પૂજા ન કરવી જોઈએ.
ગોવર્ધન પૂજા-
ધનતેરસે સ્વસ્થ્ય રહેવાની તથા કાળી ચૌદશો દરિદ્રતા બહાર ફેંકવાની પ્રેરણા લઈને મહાલક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. આ લક્ષ્મી પૃથ્વી જ છે અને તેની માટે પ્રકૃતિની પૂજા તથા રક્ષણ કરે છે જેના નિમિત્ત ઈન્દ્રદેવતાની પૂજા સ્થાન પર ભગવાન શ્રીકૃષ્ણના નિર્દેશથી ગોવર્ધન પર્વતે પ્રતીક બનાવીને પ્રકૃતિ તથા પર્યાવરણનું સંરક્ષણ કરવાના મંતવ્યની સાથે જ આ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ખેડૂત બળદ, ગાય વગેરેની પૂજા કરે છે. આ તહેવાર પ્રકૃતિનું સન્માન કરવાનું શીખવે છે.
યમ દ્વિતિયા-ભાઈ બીજ
કારતક મહિનાના શુક્લપક્ષની બીજને યમ દ્વિતિયા કે ભાઈ બીજના નામે ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે આ દિવસે ભગવાન યમ બહેન યમુનાના ઘરે મળવા જતાં હતાં. યમલોકના રાજા યમરાજના મુખ્ય સહાયક ચિત્રગુપ્તની પૂજા પણ આ દિવસે જ કરવામાં આવે છે. ચિત્રગુપ્ત યમરાજનો બધો જ હિસાબ-કિતાબ રાખ્યો છે એટલા માટે બધા વેપારી લોકો દવાત કલમ તથા વહીખાતાની પૂજા આ દિવસે કરે છે. આખા વર્ષનો હિસાબ પણ લખીને રાખવામાં આવે છે. આ પ્રકારે આ તહેવાર પ્રેમ સદભાવ અને સહાયતાનું પ્રતીક માનવામાં આવે છે.