સૂર્યા અભિનીત ફિલ્મ “જય ભીમ” ના પ્રેરણાસ્ત્રોત મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ કૃષ્ણસ્વામી ચંદ્રુએ સોમવારે કેન્દ્ર સરકારની નીતિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. કૃષ્ણસ્વામી ચંદ્રુએ કહ્યું કે, બિલો કોઈપણ ચર્ચા વિના પસાર થઈ રહ્યા હોવાથી “સંસદ ટૂંક સમયમાં સરકાર માટે ‘રબર સ્ટેમ્પ’ બની રહેશે”
નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા અનેક ઐતિહાસિક ચુકાદાઓજાતિ-આધારિત ભેદભાવ અને લિંગ-સંબંધિત મુદ્દાઓ પર ઘણા ઐતિહાસિક ચુકાદાઓ આપનારા નિવૃત્ત ન્યાયાધીશ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત ચર્ચાને સંબોધિત કરતા સમયે આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે, ‘સંસદે ચર્ચા વિના કૃષિ બિલ પાસ કર્યું, ખેડૂતો વિરોધમાં ઉતરી આવ્યા હતા. સરકાર ફરીથી ચર્ચા કર્યા વિના કાયદાને રદ કરે છે. પ્રજાના હિતના મુદ્દાઓ પર, લોકોની સમસ્યાઓ પર સંસદમાં ચર્ચા થતી નથી. જે રીતે આ બાબતો આગળ વધી રહી છે, સંસદ ટૂંક સમયમાં સરકાર માટે ‘રબર સ્ટેમ્પ’ બની રહેશે. કોઈ સીધો સંદર્ભ આપ્યા વિના, તેમણે એમ પણ કહ્યું કે, એક દિવસ ‘સંસદ નાગપુરથી ચાલશે’.