અમેરિકાના પ્રખ્યાત સાપ્તાહિક ટાઇમ મેગેઝિને વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 મહાનુભાવોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થયો છે. આ યાદીમાં ભારતના અભિનેતા આયુષમાન ખુરાના, ગુગલના સીઇઓ સુંદર પિચાઇ, એચઆઇવી વિશે સંશોધન કરનારા રવીન્દર ગુપ્તા અને શાહીન બાગ ધરણામાં સહભાગી થયેલી મુસ્લિમ મહિલા બિલ્કીસનો પણ સમાવેશ થયો હતો. જો કે આ સમાવેશ શરતી કહેવાય કારણ કે વડા પ્રધાનના મુસ્લિમો સાથેના વ્યવહાર અંગે ટાઇમે કેટલીક ટીકા કરી હતી.
ટાઇમની આ યાદીમાં ચીનના વડા પ્રધાન શી જીનપીંગ, તાઇવાનના મહિલા રાષ્ટ્રપ્રમુખ ત્સાઇ ઇંગ વેન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, મૂળ ભારતીય કૂળની અમેરિકી પોલિટિશ્યન કમલા હેરિસ, જો બીડેન, જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલ વગેરેનો પણ સમાવેશ આ યાદીમાં થયો હતો.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટાઇમે લખ્યું, લોકશાહી માટે સૌથી જરૂરી પરિબળ સ્વતંત્ર ચૂંટણી નથી. એમાં તો એટલી જાણ થાય છે કે કોને સૌથી વધુ મતો મળ્યા હતા. એના કરતાં વધુ મહત્ત્વની વાત એ છે કે આ વિજેતાને કોણે કયા કારણે મત ન આપ્યા. છેલ્લા સાત દાયકાથી પણ વધુ સમયથી ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી રહી હતી. ભારતની એક અબજ ત્રીસ લાખની વસતિમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, પારસી વગેરે લોકોની વસતિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધાંને શંકાના વર્તુળમાં લાવી દીધા. સશક્તિકણના વાયદા સાથે મોદી સત્તા પર આવ્યા હતા. પરંતુ તેમના શાસક પક્ષ ભાજપે મુસલમાનોને અળગા કરી નાખ્યા.