કોરોનાને કારણે કરવામાં આવેલા લોકડાઉનને કારણે કોલેજ અને યુનિ. લેવલની પરીક્ષા જુલાઈમાં આયોજીત કરવામાં આવશે. જો કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય તેમજ યુજીસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોરોનાને કારણે પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો તો ફક્ત અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પહેલા અને બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનને આધારે તેમજ આગળના સેમેસ્ટરના 50 ટકા ગુણને આધારે પાસ કરી દેવામાં આવશે.
જો કે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને લઈને તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા આયોજીત કરવામાં આવશે. જો જૂલાઈ સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો તો પરીક્ષાની નવી તારીખો અંગે જાહેરાત કરવામાં આવશે. આ અગાઉ યુજીસીએ જણાવ્યું હતું કે કોલેજો અને યુનિ. પોતાની અનુકૂળતા પ્રમાણે ઓનલાઈન પરીક્ષા લઈ શકશે. મોટા ભાગની કોલેજો દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે હજી પણ અધુરા અભ્યાસક્રમો અને પરીણામ મોડા આવવાની મૂંઝવણ વિદ્યાર્થીઓમાં પ્રવર્તી રહી છે.