મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાગપુર સ્થિત રાજ્ય વિધાનસભામાં ખેડૂતોનું 2 લાખ રૂપિયાનું દેવુ માફ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવુ માફ કરવામાં આવશે. આ યોજના આગામી વર્ષે માર્ચ 2020થી લાગુ થઇ જશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા કૃષિ ઋણ માફીની જાહેરાત બાદ વિપક્ષે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી વોક આઉટ કર્યુ હતું. વિપક્ષની માંગ છે કે ખેડૂતોનું પુરૂ દેવુ માફ થાય. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રના નાગપુર વિધાનસભા સત્રના બીજા દિવસે ખેડૂતોનું પુરૂ દેવામાફી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનની મદદની માંગને લઇ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી.
ગત મંગળવારે સત્તાપર રહેલી મહાઅઘાડીના ધારાસભ્યો અને વિપક્ષ ભાજપના ધારાસભ્યો વચ્ચે સદનમાં વેલમાં ધક્કામુક્કી થઇ હતી. મંગળવારે વિધાનસભા સત્રના બીજા દિવસે સવારે શિવસેનાએ કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે 25 હજાર પ્રતિ હેક્ટર આપવાની માંગ કરી હતી પરંતુ સરકારમાં આવ્યા બાદ આજ સુધી આપવામાં આવ્યા નથી. જેની પર વિપક્ષનું કહેવુ છે કે જ્યાર સુધી મદદની જાહેરાત નહી થાય તો કામકાજ ચાલવા નહી દે.
વિરોધ દળના નેતા દેવેન્દ્ર ફડણવીસે સભા ગૃહમાં જાહેરાત કરી હતી કે જ્યાર સુધી 25 હજાર રૂપિયા હેક્ટર મદદની જાહેરાત નથી થતી તો તે કામકાજ ચાલવા નહી દે. આટલુ જ નહી, વિધાનસભાનું કામકાજ અડધા કલાક માટે સ્થગિત કરી દેવામાં આવ્યુ હતું પરંતુ પરત આવ્યા બાદ સત્તા અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી થઇ હતી.