આજે સાવરેથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આઘાડી સરકારના એકસાથે 30 ધારાસભ્ય સહિત મંત્રી સંપર્કવિહોણા થતા ઉદ્રવ સરકાર સંકટમાં મુકાઇ છે શિવસેના દિગ્ગજ કાદવર નેતા એકનાથ શિંદે તેમના પોતાના એટલે કે 15 શિવસેના,1 NCP અને 14 અપક્ષ ધારાસભ્યો સાથે ગુજરાતમાં સુરતમાં ધામ નાખ્યા છે. એકનાથશિંદે મુંબઈ છોડ્યાના સમાચાર સુરતથી જ સવારે 8 વાગ્યે આવ્યા. ત્યારે ખબર પડી કે શિંદેએ પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. તેમના મુખ્યમંત્રી પર પણ વાત કરી શકતા નથી. આની મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
જણાવી દઇએ કે જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવી હતી. ત્યારે શિવસેના-એનસીપી ગઠબંધન પાસે 56 અને ભાજપ પાસે 106 ધારાસભ્યો હતા. વિધાનસભામાં 288 ધારાસભ્યો છે. એટલે કે સરકાર માટે 144 ધારાસભ્યોની જરૂર છે. વર્તમાન સ્થિતિમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ પાસે 153 ધારાસભ્યો બાકી છે.
હાલ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલને લઇ રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભૂકંપ નહીં આવે. કેટલાક ધારાસભ્યોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે, જેના કારણે સંપર્ક શક્ય નથી. તેમણે કહ્યું કે જે ધારાસભ્યો સુરતમાં છે તેમને આવવા દેવામાં આવતા નથી. રાઉતે કહ્યું કે દરેકને કોર્ડન કરી લેવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો આવવા માંગે છે અને તેઓ દરેક સંઘર્ષમાં શિવસેનાની સાથે રહ્યા છે.