માલીના પૂર્વોત્તરમાં સ્થિત મનેકા વિસ્તારમાં શુક્રવારે આતંકવાદીઓએ સેનાના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જેમાં 53 સૈનિકોના મોત થયા છે. સેનાએ ફેસબુક મારફતે આ જાણકારી આપી છે. હાલ કોઇપણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. ગવર્નરે આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે.
માલીના સંચાર મંત્રી યાયા સાંગરે ટ્વીટ કર્યું હતું કે, સેનાના ઠેકાણાઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ઘટનાસ્થળ પર 54 મૃતદેહ મળી આવ્યા છે. જેમાં એક નાગરિક પણ સામેલ છે. બુર્કિના ફાસો અને મનેકામાં અલ-કાયદા અને દાએશ આતંકવાદી સંગઠનના અનેક સમર્થકો છે.
વર્ષોથી માલી આતંકવાદી ગતિવિધિઓને કારણે સાંપ્રદાયિક તણાવનો સામનો કરી રહ્યું છે. ગયા મહિને બુર્કિના ફાસોની સરહદ પર પણ આતંકવાદી હુમલામાં 40 જવાનોના મોત થયા હતા.