પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહનો રાજ્યસભામાં કાર્યકાળ શુક્રવારે પૂરો થયો હતો. તેઓ 28 વર્ષછી રાજ્યસભાના સાંસદ રહ્યાં હતા. પહેલી વખત 1991માં અસમથી તેઓ રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ આ પહેલો મોકો છે જ્યારે ડૉ. મનમોહન સિંહ સંસદનો ભાગ નહીં બને. નવી સરકારનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થવા જઇ રહ્યું છે. આ વખતે કોઇ પૂર્વ વડાપ્રધાન બજેટ સત્રમાં હાજર નહીં હોય. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધઆન દેવેગૌડા લોકસભા ચૂંટણી હારી ગયા હતા.
અસમમાં રાજ્યસભાની સાત બેઠકો છે. 14 જૂને ડૉ. મનમોહનસિંહ અને એસ કુઝુરનો કાર્યકાળ ખતમ થવાથી બે બેઠકો ખાલી થઇ છે. મે મહિનામાં આ બેઠકો પર ચૂંટણી થનારી હતી. આમાંથી એક BJP અને બીજી બેઠક અસમ ગણ પરિષદના હિસ્સામાં ગઇ છે. આ બેઠકો પરથી BJP ના કામાખ્યા પ્રસાદ અને AGPના બિરેન્દર સિંહે જીત મેળવી હતી.
અસમની બંને ખાલી પડેલી બેઠકો પર કોંગ્રેસ અને AIUDF એ પોતાના ઉમેદવાર ઉતાર્યા ન હતા કારણ કે રાજ્યમાં તેમની પાસે સભ્યોની સંખ્યાં ઓછી હતી. અસમની 126 સભ્યોની વિધાનસભામાં BJP પાસે 60 બેઠકો છે જ્યારે કોંગ્રેસના 26 અને AIUDFના 13 ધારાસભ્યો છે. જો કે અસમથી કોંગ્રેસ પાસે હજી ચાર સાંસદ છે પરંતુ આવનારા દિવસોમાં આ કાર્યકાળ સંપન્ન થયાં બાદ સંભાવના છે કે કોંગ્રેસ પાસેથી આ બેઠકો પણ છીનવાઇ જશે અને BJP અને તેની સહયોદી AGP ના સભ્યો રાજ્યસભા પહોંચી જશે. એપ્રિલ 2020 સુધીમાં BJP રાજ્યસભામાં પણ બહુમતી મેળવી લે તેવી સંભાવના છે.