#MeToo એટલે કે જાતીય સતામણી અને લૈંગિક હુમલા કરવા માટેનું સોશિયલ એજીટેશન છે. 2017ના ઓક્ટોબર મહિનામાં #MeTooનો ભારોભાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં આ આંદોલને સોશિયલ મીડિયામા વેગ પકડ્યું હતું. વ્યાપક રૂપે ફેલાયેલા જાતીય શોષણના દુષણની સામે #MeToo હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ હેશટેગ હમણાં-હમણા ખાસ્સું પ્રચલિત થયું છે. નાના પાટેકર,આલોકનાથ, એમજે અકબરથી લઈ સુભાષ ઘાઈ, કૈલાશ ખૈર અને સાજીદ ખાન સુધીની અનેક નામી હસ્તીઓ આની અડફેટે આવી ગઈ છે.
#MeToo હેશટેગ હાર્વે વેઈન્સટાઈન સામે લૈગિંગ દુર્વ્યવહાર બાદ સોશિયલ મીડિયામાં તરત ચલણમાં આવ્યું. અમેરિકામાં આ હેશગેટનો ઉપયોગ પહેલી વાર થયો. અમેરિકાની સામાજિક કાર્યકર તારના બર્કેએ 2006માં #MeToo અંગે વ્યાપક જગૃતિ આણવાનું કામ કર્યું અને બાદમાં અમેરિકન અભિનેત્રી એલિસા મિલાનો દ્વારા આ હેશટેગને 2017 માં લોકપ્રિય બનાવવામાં આવ્યું હતું. મિલાનોએ જાતીય સતામણીના પીડિતોને ન્યાય અપાવવા ટ્વિટ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આની અસરકારકતા જોવા મળી.
15 મી મે, 2017 ના રોજ બપોરે અમેરિકન અભિનેત્રી એલિસા મિલાનો દ્વારા “#MeToo” શબ્દની ટ્વીટ કરવામાં આવી હતી, અને દિવસના અંત સુધીમાં 200,000 કરતા વધારે વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,અને 16 ઓક્ટોબર સુધીમાં 500,000 વખતથી વધુ વખત ટ્વીટ કર્યું હતું. ફેસબુક પર, પહેલા 24 કલાક દરમિયાન 12 મિલિયન પોસ્ટમાં #MeToo હેશટેગનો ઉપયોગ 4.7 મિલિયનથી વધુ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો.
#MeTooએ હવે ભારતભરમાં ચકચાર જગાવી છે. ખરેખર #MeTooનો ભોગ બનેલી પીડિતાઓએ જે તે વખતે ફરીયાદો કરી નથી. ફરીયાદ નહીં કરવા પાછળ તેમની પાસે અનેક કારણો છે. વાસ્તવિક્તા શું છે?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ કે પોલિટિક્સ કે પછી વર્ક પ્લેસમાં મહિલાઓની જાતીય સતમાણી થયા કરે છે અને તેની ફરીયાદો પણ થાય છે. પરંતુ નોકરી અને કરિયરના કારણે મહિલાઓ જે-તે વખતે ચૂપ બેસી રહે છે. આજે હાલત એવી થઈ છે કે મહિલાઓમાં જાગૃતિ આવી છે. વધારે ખુલીને બિન્દાસ્ત બોલતી થઈ છે. પણ આ બધામાં ક્યાંકને ક્યાંક પેલી ગંધ પણ આવી રહી છે કે શા માટે એકી સાથે આટલી બધી હસ્તીઓ વિરુદ્વ #MeToo મૂવમેન્ટ લોન્ચ થઈ? શું રાતોરાત જ મહિલાઓમાં જાગૃતિ આવી ગઈ? ફિલ્મ મેકર સુભાષ ઘાઈએ #MeTooને હસ્તીઓને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે. સાજીદ ખાને ફિલ્મ છોડી દેવી પડી છે. કૈલાશ ખેરની હાલત કફોડી થઈ ગઈ છે. આલોકનાથ તો ગમે ત્યારે જેલના સળીયા પાછળ ધકેલાઈ જાય તેવી નોબત આવી ગઈ છે.
પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓ સાથે બદતમીઝી થયા કરે છે. સંબંધો સહજ હોય, સમજૂતી સાથેના હોય તો #MeTooની જરૂર નથી. પરંતુ પરાણે-પરાણે વિકસતા સંબંધો છેવટે છાપરે ચઢે જ છે. મહિલાઓએ પણ નોકરીની મજબૂરી હોય કે કરિયરની ચિંતા છોડી આવા બદમાશોને જે-તે સમયે જ ઉધાડા પાડી દેવા જોઈએ.પાંચ-પચ્ચીસ વર્ષની રાહ જોવાની જરૂર નથી.
#MeTooની ફરિયાદો સાચી હોય તો પોલીસ કે કોર્ટમાં ફરીયાદ કરવી જોઈએ. સ્ટેટમેન્ટ આપી કે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી વર્ષો જૂની વાતોને ઉછાળવા પાછળ કોઈક રીતની ગંધ આવી રહી છે. સુભાષ ઘાઈની ભાષામાં કહુ તો આ એક કાવતરું છે.