મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. હવે ખેડૂતોને પણ માત્ર 14 દિવસની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ મળશે. સરકારે બેન્કોને નિર્દેશ આપ્યો છે કે, સંપુર્ણ રીતે ભરેલા આવેદન ફોર્મ બેન્કને મળે કે બે સપ્તાહમાં ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ મળવું જોઇએ. હાલમાં 6.95 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ ચાલી રહ્યા છે. જે અંતર્ગત જ પાક લોન સબસિડી, વ્યાજ દર સહિતની ચુકવણી થાય છે. કેસીસીનો લાભ પશુપાલન અને મતસ્યોદ્યોગ કામગીરીમાં પણ ઉપયોગમાં લઇ શકાય તે માટે ખેડૂતને લાભ આપવામાં આવે છે.
કૃષિ મંત્રાલયનાં અધિક સચિવ ડોલી ચક્રવર્તીએ બેન્કોને લખેલા પત્રમાં જણાંવ્યું છે કે, હાલમાં પણ મોટી સંખ્યામા એવા ખેડૂતો છે, જેઓ હજુ સુધી સંસ્થાગત લોન સુધી પહોંચી શક્યા નથી. કારણ કે તેમની પાસે કેસીસી કાર્ડ મળ્યા નથી અથવા તો અગાઉ આપેલા કેસીસી નોન-પરફોર્મીંગ અસેટ્સ સિવાય વિવિધ કારણોસર નિષ્ક્રીય હતાં. સરકારે તેથી જ કેસીસી હેઠળ નાણાંકિય સમાવેશ માટે ખેડૂતોને સંતુષ્ટ કરવા માટે એક અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.સરકારે જણાંવ્યું છે કે કેસીસીથી મેળવેલી લોન સબસિડી યોગ્ય હશે. તેથી અરજદાર ખેડૂતોનાં આધાર કાર્ડની વિગતો પણ રાખવામાં આવશે.
ઓછા વ્યાજદરે મળે છે લોન
સામાન્ય રીતે એગ્રીકલ્ચર લોન પર 9 ટકા વ્યાજદર હોય છે. જો કે સરકારે ખેડૂતોને 7 ટકા પ્રતિ/વર્ષ પ્રમાણે 3 લાખ રૂપિયા સુધીની શોર્ટ ટર્મ ફાર્મ લોન મેળવવા માટે 2 ટકા વ્યાજ સબસિડી આપે છે. ખેડૂતોને નીયત તારીખ પ્રમાણે લોનનાં રિપેમેન્ટ માટે 3 ટકા વધારે પ્રોત્સાહન આપશે. જેથી વ્યાજનું અસરકારક દર 4 ટકા છે.
તરત જ ખાતું ખોલવામાં આવશે
સરકાર દ્વારા બેન્કોને અપાયેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે,KCC માટે અરજી એકઠી કરવા માટે ગામડામાં કેમ્પોનું આયોજન કરો. જે બેન્કમાં પહેલાથી જ ખેડૂતોનું ખાતું છે, તે શાખા સમયસર ખેડૂતને કેસીસી કાર્ડ ઉપલબ્ધ કરાવે. જો યોગ્યતા પાત્ર ખેડૂતોનું કોઇ બેન્કમાં ખાતું ન હોય તો તેમનાં તાલુકાની અંદર જ તેમની પંસદની બેન્કમાં ખાતું ખોલીને નજીકની શાખામાં ખાતું ખોલી આપવું.