કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિસ ટ્રૂડો આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં ભારતના મહેમાન બની શકે છે. ટ્રૂડોએ જાહેરાત કરી કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ૧૭થી ૨૩ ફેબ્રુઆરી સુધી ભારતનો રાજકીય પ્રવાસ કરશે. સાત દિવસના પ્રવાસમાં કેનેડાના પીએમ નવી દિલ્હી ઉપરાંત આગરા, મુંબઈ, અમૃતસર અને અમદાવાદની મુલાકાત લેશે. આ અંગે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી સુધી ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન આંતકવાદ સામે લડાઈ, ઉર્જા અને વેપાર જેવા મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરશે. મંત્રાલયે વધુમાં કહ્યું છે કે ‘મંત્રાલયે કહ્યું કે બંને દેશ લોકતંત્ર, લોકોની સમાનતા અને કાયદા નિયમો જેવા મૂલ્યો આધારિત રણનીતિક ભાગીદારી મુખ્ય મુદ્દો રહેશે. કેનેડા ભારતને સૌથી મોટો યુરેનિયમ સપ્લાય કરતો દેશ છે. બંને દેશ વચ્ચે પરમાણુ સંધિ પણ છે.’ પ્રધાનમંત્રી મોદીએ એપ્રિલ ૨૦૧૫માં કેનેડાનો પ્રવાસ કર્યો હતો. ચાર દશક બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પહેલો કેનેડા પ્રવાસ હતો. જયારે છેલ્લે ૨૦૧૨માં કેનેડાના તત્કાલિન પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પરે ભારતનો પ્રવાસ કર્યો હતો. કેનેડામાં ૧૦ લાખથી વધુ ભારતીયો રહે છે. આ પ્રવાસથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.