દેશભરમાં આજે પણ એક જ દિવસના સૌથી વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 15413 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 306 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4 લાખને પાર પહોંચી ચૂકી છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના 4,10,461 પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. જ્યારે કોરોનાના કારણે 13,254 મરણ નોંધાયા છે.
કોરોનાના કુલ પોઝિટિવ કેસોમાંથી 169451 એક્ટિવ કેસો છે, જ્યારે 227756 લોકોએ કોરોનાને માત આપી છે. એટલે કે, આટલા લોકો સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલોમાંથી રજા આપી દેવામાં આવી છે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારત ચોથા નંબર પર છે. ભારત (4,10,461 કેસ) સાથે ચોથા નંબર પર છે. જ્યારે ભારતની પહેલા ત્રીજા નંબરે રશિયા (5,76,952 કેસ), બીજા નંબરે બ્રાઝીલ (10,70,139 કેસ) અને 23,30, 578 કેસો સાથે અમેરિકા પ્રથમ નંબર પર છે.