ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,26,770 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,851 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે વધુ 273ના મરણ નોંધાયા છે.
દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને સંક્રમણથી મોત નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધી કોરોના દેશમાં 6348 લોકોને ભરખી ચૂક્યો છે. જો કે 1,09,462 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. રિકવરી રેટમાં વધારો જોવા મળ્યો છે, જે વધીને 48.27 ટકા પર પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને દિલ્હી છે. આ સિવાય પણ અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, તો ચાલો જાણીએ દેશના ટોપ-10 રાજ્યોમાં શું છે કોરોનાની સ્થિતિ?