મધ્યપ્રદેશ: બજરંગ સેનાના કાર્યકરો મંગળવારે કોંગ્રેસમાં જોડાયા. એટલું જ નહીં બજરંગ સેનાના કાર્યકરોએ પાર્ટીમાં જોડાયા બાદ હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા.
બજરંગ સેના કોંગ્રેસમાં જોડાઈ: બજરંગ સેનાના કાર્યકરો મંગળવારે કોંગ્રેસમાં જોડાયા. એટલું જ નહીં બજરંગ સેનાના કાર્યકરોએ પાર્ટીમાં જોડાયા બાદ હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા. બજરંગ દળના કાર્યકરોએ કમલનાથની હાજરીમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
આ અવસર પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્ય પાર્ટીના વડા કમલનાથે કહ્યું, “બજરંગ સેનાએ આજે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. તેઓએ સત્યનું સમર્થન કર્યું છે. તેઓને એ પણ અહેસાસ થઈ રહ્યો છે કે મધ્યપ્રદેશને ક્યાં ખેંચવામાં આવી રહ્યું છે. હું તેમનું સ્વાગત કરું છું.”