કોરોના વાઈરસના વધતા સંક્રમણની અસર હવે સરકારી યોજનાઓ પર પણ પડી છે. કેન્દ્ર સરકારે હાલના નાણાંકીય વર્ષ 2020-21માં કોઈ પણ નવી સરકારી યોજનાની શરૂઆત નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
નાણામંત્રાલયે તમામ મંત્રાલયોને નવી યોજનાઓને આ નાણાંકીય વર્ષ સુધી શરૂ નહીં કરવાનું કહ્યું છે. જો કે સરકારે “આત્મનિર્ભર ભારત અભિયાન” અને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ” જેવી યોજનાઓ પર કોઈ પણ પ્રકારની રોક નથી લગાવી.
નાણા મંત્રાલયના આદેશ અનુસાર, કોઈ પણ સરકારી યોજનાઓને આ વર્ષે મંજૂરી નહીં આપવામાં આવે. પહેલાથી જ મંજૂરી કરવામાં આવેલી નવી યોજનાઓને પણ 31-માર્ચ અથવા આગામી આદેશો સુધી સ્થગિત કરી દેવામાં આવે છે.