ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની મુસ્લિમ મહિલાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક મંદિર બનાવી રહી હોવાની જાણકારી મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તીન તલાક જેવી ઘૃણાસ્પદ પરંપરા રદ કરાવી તેથી આ મુસ્લિમ મહિલાઓ રાહત અનુભવી રહી છે અને તાજેતરની લોકસભાની ચૂંટણીમાં પણ અસંખ્ય મુસ્લિમ મહિલાઓએ ભાજપને મતો આપ્યા હતા.
આ મુસ્લિમ મહિલાઓનું નેતૃત્વ કરી રહેલી મહિલા રુબી ગઝનીએ મિડિયાને કહ્યું કે તીન તલાક જેવી અમને સતત અન્યાય કરતી પરંપરા રદ કરીને નરેન્દ્ર મોદીએ અમારા જીવનને નવી દિશા આપી છે.
આખી દુનિયામાં નરેન્દ્ર મોદીનું સન્માન થઇ રહ્યું છે ત્યારે ઘરઆંગણે તેમનું સન્માન કરવાની ભાવનાથી અમે મોદી મંદિર બનાવી રહ્યા છીએ. આ મંદિરનો તમામ ખર્ચ મુસ્લિમ મહિલાઓએ પોતે કરેલી બચતના પૈસામાંથી થશે. અમે જિલ્લાધિકારીને આ અંગે જાણ કરતું એક નિવેદન પણ સુપરત કર્યું હતું.