નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સોમવારે જાહેરાત કરી હતી કે NET (National Eligibility Test) ની 16થી 25 સપ્ટેમ્બર દરમિયાન લેવાનારી પરીક્ષાઓ હવે 24 સપ્ટેમ્બરથી યોજાશે, હકીકતમાં આ પરીક્ષાઓની તારીખ ભારતીય કૃષિ સંશોધન પરિષદની પરીક્ષા (Indian Council of Agricultural Research – ICAR)ની તારીખો સાથે કલેશ (clash) થતી હતી. NTAએ કહ્યુ કે ICARની પરીક્ષા 16,17,22 અને 23મીએ યોજાનાર છે. આવામાં NET પણ જો તેના પૂર્વ નિશ્ચિત માળખા મુજબ 16થી 25 સપ્ટેમ્બર દરમિયાન જ યોજાશે તો જે વિદ્યાર્થીઓ આ બંને પરીક્ષાઓમાં ભાગ લેવા માંગતા હોય તેમને અન્યાય થશે. અને એવુ ન થાય એ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NETની પરીક્ષાઓની તારીખ પાછળ ધકેલી છે.
દેશમાં જે સમયે એક દિવસમાં 70, 000થી વધુ કોરોના કેસ આવતા હતા, ત્યારે સુપ્રીમ કોર્ટે (SC) NEET, JEE પરીક્ષાઓ લેવાનો નિર્ણય અટલ રાખ્યો હતો. આથી દેશના 6 નોન-BJP રાજયોએ SCમાં પરીક્ષાઓ યોજવાના ચુકાદાને પાછો ખેંચવા એક રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જે 4 સપ્ટેમ્બરના રોજ SCએ નકારી કાઢી છે. 17 ઑગસ્ટે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ, રાજસ્થાન, છત્તીસગઢ- આ 6 રાજયોએ SCને JEE અને NEETની પરીક્ષાઓની તારીખ લંબાવવા માટે અરજી કરી હતી.
વિદ્યાર્થીઓનું નિર્ણાયક વર્ષ વ્યર્થ થવુ જોઇએ નહીં અને જીવનમાં આગળ વધવુ પડશે એમ અગાઉ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યુ છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) એ 1 થી 6 સપ્ટેમ્બર સુધી જેઇઇ અને 13 સપ્ટેમ્બરના રોજ NEET યોજવા નિર્દેશ આપ્યો હતો. 21 ઑગસ્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ યુજીસી-નેટ, ઇગ્નુ ઓપનમેટ અને પીએચડી, યુનિવર્સિટી ઓફ દિલ્હી પ્રવેશ પરીક્ષા અને આઈસીએઆર (ICAR) એઆઈઆઈએ (AIEEA) પરીક્ષા સહિતની વિવિધ પરીક્ષાઓની નવી તારીખ જાહેર કરી હતી.