NFSU Convocation રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના “મુખ્ય અતિથિ” પદે NFSUનો તૃતીય પદવીદાન સમારોહ 28મી ફેબ્રુઆરીએ યોજાશે
NFSU Convocation નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો તૃતીય પદવીદાન સમારોહ 28મી ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાશે, જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ “મુખ્ય અતિથિ” તરીકે હાજર રહેશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી “અતિથિ વિશેષ” તરીકે ઉપસ્થિત રહેશે.
NFSU Convocation NFSUના કુલપતિ અને ભારતના વરિષ્ઠ ફોરેન્સિક વિજ્ઞાનીઓ ડૉ.જે.એમ.વ્યાસે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે મુલાકાત કરી અને તૃતીય પદવીદાન સમારોહમાં તેમની ઉપસ્થિતિ માટે સત્તાવાર રીતે નિમંત્રણ પાઠવ્યું હતું.
ડૉ.વ્યાસે જણાવ્યું હતું કે આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના કુલ 1562 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. 13 વિદ્યાર્થીઓને પીએચ.ડી. અને એલએલ.ડી.ની પદવી એનાયત કરાશે, તેમજ NFSUના તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો પણ આપવામાં આવશે.
આ પ્રસંગે યુકે, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, પોલેન્ડ અને અન્ય દેશોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ પદવીદાન સમારોહમાં હાજરી આપશે.