નવી દિલ્હી : પુલવામા આતંકી હુમલો કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) એ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ 13500 પાનાંની છે. એનઆઈએએ ચાર્જશીટમાં 13 આરોપી બનાવ્યા છે. જૈશ-એ-મોહમ્મદના નેતા મૌલાના મસુદ અઝહર પણ આમાં શામેલ છે. જ્યારે આ આત્મઘાતી આતંકી આદિલ ડાર જેણે આ હુમલો કર્યો હતો તે બ્લાસ્ટમાં જ માર્યો ગયો હતો.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. એક આત્મઘાતી બોમ્બરએ વિસ્ફોટકોથી ભરેલી કારને સીઆરપીએફના કાફલામાં ધકેલી દીધી હતી. આ બ્લાસ્ટમાં 40 સૈનિકો માર્યા ગયા હતા. ત્યારબાદ એનઆઈએ આ મામલાની તપાસ કરી રહી હતી. હવે એનઆઈએએ 13500 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે.
આ આતંકી હુમલો આદિલ અહેમદ ડાર નામના આત્મઘાતી આતંકવાદીએ કર્યો હતો, જે તે હુમલા દરમિયાન જ મરી ગયો હતો. આદિલની સાથે આ હુમલા માટે આઈઈડી બનાવનાર ઓમર ફારૂક પણ માર્યો ગયો છે. જ્યારે ત્રીજી વ્યક્તિ સમીર પર આરોપ મૂકવામાં આવ્યો છે. એનઆઈએએ તેની ચાર્જશીટમાં આવા લોકો પર આરોપ લગાવ્યો હતો કે જેઓ આદિલના મદદગાર હતા. વળી, પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના બોસ પર પણ ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે.
આ છે આરોપી
જૈશ-એ-મોહમ્મદના નેતા મૌલાના મસૂદ અઝહરને એનઆઈએ દ્વારા તેની ચાર્જશીટમાં પ્રથમ આરોપી બનાવવામાં આવ્યો છે. મસૂદ સિવાય તેના ભાઈઓ અબ્દુલ રઉફ અને મૌલાના અમ્માર ઉપર પણ આરોપ મૂકવામાં આવ્યા છે. બાલાકોટમાં મૌલાના અમ્માર જૈશ આતંકીઓને તાલીમ આપે છે.
મદદગાર પણ ફસાઈ ગયા
પુલવામા હુમલો કરનાર આદિલ ડાર પાસે ઘણા સહાયકો પણ હતા, એનઆઇએ આવા લોકોને પણ આરોપી બનાવ્યા છે. તેમાંથી મોહમ્મદ અબ્બાસ રાથર, બિલાલ અહમદ કુચે, શાકિર બશીર, હુઝૈફા, ઇંશા જાં, ઇંશા તારીક, પીર તારીક અહેમદ શાહ, અશ્ક અહેમદ નેંગરુ, ઇકબાલ રાથર, સમીર અહેમદ ડાર અને વૈઝ-ઉલ ઇસ્લામ પર પણ આરોપ મૂકવામાં આવ્યા છે. શાકિરે આ હુમલા માટે કાર તેમજ વિસ્ફોટક, આઈ.ઈ.ડી. પણ ઉપલબ્ધ કરાવ્યો હતો. અબ્બાસ રાથરે ઓનલાઇન શોપિંગ હુમલામાં મદદ કરી હતી.