નિર્ભયા ગેંગરેપ કેસના આરોપીઓની ફાંસી પર દિલ્હી હાઈકોર્ટે પોતાની ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ નક્કી કરશે કે, ચારેય દોષીતોની ફાંસી પર જે અનિશ્ચિતકાળ સુધી રોક લગાવી છે, તેના પર વિચાર કરી શકાય કે નહીં.
દિલ્હી હાઈકોર્ટમાં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચારેય આરોપીઓને ફાંસી આપવાની રોક પર નિચલી અદાલતેના આદેશને પડકારતી અરજી કેન્દ્ર સરકારે કરી હતી, જેના પર રવિવારે સુનાવણી થઈ નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં આ મામલે ટાઈમલાઈન જણાવી છે.
તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, સમાજ અને પીડિતાને ન્યાય અપાવવા માટે તમામ દોષીતોને તુરંત ફાંસીએ લટકાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, આ કેસમાં જે મોડુ થઈ રહ્યું છે તેમાં દોષી જાણી જોઈએને વિધ્નો નાખી રહ્યા છે.તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આવું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. આ ન્યાય માટે ફ્રસ્ટ્રેશનની સ્થિતી છે. તેમણે એક યુવતીનો સામૂહિક રેપ કર્યો હતો.