Nitin Gadkari: પાનમસાલા ખાઈને રસ્તા પર થુંકનારા લોકોનાં ફોટા પાડીને છાપામાં છાપો
Nitin Gadkari: પાનમસાલા ખાઈને રસ્તા પર થુંકનારાના ફોટો પાડીને છાપામાં પ્રકાશિત કરવા જોઈએ, તેવું આહ્વાન ગાંધી જયંતી નિમિત્તે નાગપુરમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રાખવામાં આવેલા કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કર્યું હતું.
Nitin Gadkari: નાગપુર મહાનગર પાલિકાએ ગઈકાલે ગાંધી જયંતીની ઉજવણી હેઠળ રાખેલા સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સૂચન કર્યું હતું કે, જે લોકો પાનમસાલા ખાઈને રસ્તા પર થૂંકતા હોય છે તેમના ફોટો પાડીને લોકોને બતાવવા માટે એ ફોટો અખબારોમાં પ્રકાશિત કરવા જોઈએ. મહાત્મા ગાંધીએ પણ આ પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ નીતિન ગડકરીએ પોતે પણ ભૂતકાળમાં કારમાંથી ચોકલેટનું રેપર બહાર ફેંકયું હોવાનું કબૂલ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં તેમને આ આદત હતી,
પણ હવે જ્યારે તેઓ ચોકલેટ ખાય છે ત્યારે તેનું રીપર ઘરે લઈ આવીને ડસ્ટબિનમાં નાખે છે.તેમણે કહ્યું હતું કે, આપણા લોકો બહુ જ સ્માર્ટ છે. ચોકલેટ ખાઈને તરત જ રેપર ફેંકી દેતા હોય છે. જો કે આ જ લોકો જ્યારે વિદેશમાં જાય છે ત્યારે ચોકલેટ ખાઈને એનું રેપર પોતાના ખિસ્સામાં મૂકી દેતા હોય છે, ત્યાં તેમનું વર્તન એકદમ અલગ અને સારું હોય છે !