આપણા સમાજમાં વડિલો એકલતા ભોગવતા હોય છે. જ્યારે બીજી તરફ અનાથ આશ્રમમાં ઉછરતાં બાળકોને પ્રેમ મળતો નથી. આ સમસ્યાના ઉકેલ તરીકે નોઈડાની એક શાળાની પાંચ વિદ્યાર્થીઓએ અનાથાલય તેમજ વૃદ્ધાશ્રમને એકબીજા સાથે જોડવા માટે ખાસ એપ તૈયાર કરી છે. આ એપનું નામ મૈત્રી છે.
આ એપની મદદથી અનાથઆશ્રમ તેમજ વૃદ્ધાશ્રમને એકબીજા સાથે જોડી શકાશે અને તેઓને એકબીજા સાથે સમય પસાર કરવાની તક મળશે. આ ઉપરાંત આ એપની મદદથી સામાન્ય લોકો પણ વૃદ્ધાશ્રમ અને અનાથઆશ્રમની મદદ માટે જરૂરી વસ્તુઓ આપી શકશે.
આ એપ ઈમિટી ઈંટરનેશનલ સ્કૂલની અધ્યક્ષ અમિતા ચૌહાણએ બનાવી છે. આજના સમયમાં અનાથઆશ્રમ તેમજ વૃદ્ધાશ્રમમાં બાળકો તેમજ વૃદ્ધો એકલતા ભોગવે છે. તેવામાં બાળકોએ તૈયાર કરેલી મૈત્રી એપ તમામને મદદરૂપ થશે. અહીં વડિલોને બાળકોનો ટેકો મળશે અને બાળકોને પ્રેમ. આ એપ તૈયાર કરનાર છાત્રાઓમાં અનન્યા ગ્રોવર, વંશિકા યાદવ, અનુષ્કા શર્મા તેમજ અરેફાનો સમાવેશ થાય છે.