સરકાર એક એવી નીતિ ઉપર કામ કરી રહી છે. જેનાથી ટોલ બુથને કારણે થતા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળી જશે. રાજમાર્ગો ઉપર બે ટોલબુથો વચ્ચે એનું અંતર ઓછામાં ઓછુ 50 કિ.મી. રહેશે અને એ ફક્ત મુખ્ય શહેરોમાંજ. જ્યારેમુખ્ય શહેરોની પરિભાષા હેઠળ 2 લાખથી વધુ વસ્તીવાળા શહેરોને સામેલકરવામાં આવશે. માર્ગ અને પરિવહન મંત્રાલય હાલ આ પ્રસ્તાવ ઉપરજ કામ કરી રહ્યુ છે. હવે આ પ્રસ્તાવને કેબીનેટ મંજુરી આપશે.
અધિકારીના જણાવ્યા મુજબ વિગત તૈયાર થયા બાદ અમે તેને સુચનો માટે સંબંધિત મંત્રાલયો પાસે મોકલીશું તે પછી અંતિમ મંજુરી માટે મંત્રી મંડળ પાસે મોકલાશે. આ પ્રસ્તાવનો હેતુ મુસાફરો માટે રાષ્ટ્રીય માર્ગો ઉપર મુસાફરોને સરળતાથી મુસાફરી પુરી પાડવોનો છે. બીજા રાજ્ય એટલે કે રાજસ્થાન જેવા રાજ્યમાં ઓછામાં ઓછાચાર વખત ટોલ દેવો પડે છે. કારણ કે ત્યા 50 કિ.મી. પર એક ટોલ પ્લાઝા છે. જે અત્યારે એક જ રાજ્યમાં યાત્રા કરનારને 3 થી 4 વાર ટોલ આપવો પડે છે. તે ફ્કત હવે 2 જ જગ્યા ઉપર ટોલ આપવો પડશે.
મોદી સરકારની નવી ટોલનીતિ ઉપર કામ કરે છે. કે જેથી વાહન ચાલક પોતાની યાત્રા સરળતાથી કરી શકે. વારંવાર અટકવુ ન પડે રાજમાર્ગ ઉપર બે ટોલ બુથ વચ્ચેનું અંતર 50 કિ.મી. રખાશે. અને એ ફક્ત 2 લાખની વસ્તી વાળા શહેરની વચ્ચે જ રહેશે.