દેશમાં દર વર્ષે લગભગ 2.5 કરોડ લોકો 1.25 લાખ સરકારી નોકરીઓ માટે અલગ-અલગ પરીક્ષાઓ આપવી પડે છે. આ પરીક્ષામાં ઘણી રિક્રૂટિંગ એજન્સીઓ કરાવે છે. પરંતુ જલ્દી આ સિસ્ટમ બદલી દેવામાં આવશે અને સરકારી નોકરીએ મેળવનારાઓને ફક્ત એક જ ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે.
આ પરીક્ષા કોમન એલિજિબિટી ટેસ્ટ (CET) કહેવામાં આવશે અને તેમનો સ્કોર ત્રણ વર્ષ સુધી માન્ય રહશે. આ સ્કોરથી નોન-ગેજેટેડ પોસ્ટ પર રિક્રૂટમેન્ટ થઈ સકશે.
1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સરકાર,રિક્રૂટિંગ,એજન્સીઓ અને ઉમેદવારોના સમય અને સંસાધનો બચાવવા માટે એક જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં સરકારે અને પબ્લિક સેક્ટર બેંકોમાં નોન-ગેજેટેડ પોસ્ટ પર નોકરીઓ મેળવવા માટે એક નેશનલ રિક્રૂટમેન્ટ એન્જેસી (NRA)ની સ્થાપનાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ એજન્સિ દરેક જિલ્લાના ટેસ્ટ સેન્ટરમાં કમ્પ્યુટર-બેસ્ડ CET આયોજન કરશે.
ત્રણ વર્ષ સુધી માન્ય રહશે સ્કોર
CETના સ્કોર રિઝલ્ટની જાહેરાત થવાની તારીખથી આવતા ત્રણ વર્ષ સુધી માન્ય રહશે. આ સ્કોર કેન્ડિડેટની સાથે અલગ-અલગ રિક્રૂટમેન્ટ એજન્સીઓને પણ આપવામાં આવશે. કેન્ડિડેટને પોતાનો સ્કોર સુધાવા માટે બે તક વધુ મળશે.