કોરોના વાઈરસને પગલે કેન્દ્ર સરકારે અનલૉક-1ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત હવે આગામી 8-જૂનથી દેશમાં અનેક સર્વિસ અને ઓફિસો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે 8-જૂનથી દેશભરમાં ઓફિસો કેવી રીતે ખુલી શકે છે? અને તેને કેવા નિયમોનું પાલન કરવાનું રહેશે? તે માટે સરકાર દ્વારા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે.
ઓફિસ કે કચેરીમાં 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને ના આવવાની સલાહસ
→ સામાન્ય હેન્ડ હાઈઝીન અને ઉધરસ ખાવી-છીંકવા સબંધી સાવધાનીનું પાલન કરવું જરૂરી
→ એન્ટ્રી પોઈન્ટ પર હેન્ડ સેનેટાઈઝર અને થર્મલ સ્ક્રિનિંગ જરૂરી
→ માત્ર એવા જ કર્મચારી કે આગંતુકને મંજૂરી, જેમનામાં કોરોનાના લક્ષણો ના હોય
→ કારને અંદરથી કિટાણુમુક્ત કરવી જરૂરી
→ ઓફિસમાં કામના સમયે લંચ બ્રેક વગેરેને અલગ-અલગ સમય પર રાખવામાં આવે
→ બેસવાની એવી વ્યસ્થા કરવામાં આવે, કે લોકો વચ્ચે ડિસ્ટન્સ જળવાઈ રહે
→ લિફ્ટમાં એક વખતમાં કેટલા લોકો જઈ શકે છે, તે વાતનું ધ્યાન રાખવામાં આવે
→ તમામ કર્ચમારીઓ અને આવનારા દરેક લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત
→ કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા માસ્ક-ગ્લવ્ઝ અને ફેસ કવરનો યોગ્ય રીતે નિકાલ
→ તમામ કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે
→ એર કંડિશનરનું તાપમાન 24 થી 30 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે
→ હ્યુમિડિટી 40 થી 70 ટકા હોવી જોઈએ
→ ઓફિસમાં સેનેટાઈઝર અને વૉશરૂમમાં સાબુ અને પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિંત કરવાની રહેશે
→ જો કોઈ કર્મચારીમાં લક્ષણ જોવા મળે, તો તરત જ તેની તપાસ કરાવવી જોઈએ
→ ખૂબ જ જરૂરિયાત જણાય તો વીડિયો કોન્ફર્ન્સિંગ મારફતે મિટિંગ કરવામાં આવે
આ માર્ગદર્શિકાનો હેતુ કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ઓફિસોમાં પ્રવેન્ટિવ અને રિસ્પૉન્સ ઉપાયોને સામેલ કરવાનો છે. જેમાં દર વખતની જેમ પાલન કરવામાં આવતા સામાન્ય નિયમો ઉપરાંત ઓફિસો માટે ખાસ નિયમો સામેલ કરવામાં આવ્યાં છે. જ્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં મેડિકલ અને ઈમરજન્સી સેવાઓને બાદ કરીને તમામ ઓફિસ અને કચેરીઓ બંધ રહેશે.