ભારત સરકારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને નિયમિત આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર એરક્રાફ્ટની ફ્લાઇટ 31 જાન્યુઆરી સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ભારત સરકાર 15 ડિસેમ્બરથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાની હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે આ ફ્લાઈટ્સ 31 જાન્યુઆરી સુધી સ્થગિત રહેશે.
આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ અને DGCA દ્વારા મંજૂર કરાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ થશે નહીં. ડીજીસીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કેટલીક આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર એરક્રાફ્ટની ફ્લાઇટને ખાસ સંજોગોમાં મંજૂરી આપી શકાય છે. ભારતનો 30થી વધુ દેશો સાથે એર બબલ કરાર પણ છે, જે અંતર્ગત ઘણા દેશોની ફ્લાઈટ્સ ચાલુ રહી શકે છે.