વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી આવનાર તા.31મી ઓકટોબરના રોજ એટલે કે બે મહિના પછી સરદાર સાહેબ (Sardar Vallabhbhai Patel)ની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવે તેવો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. મોદી અમદાવાદ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ની પણ મુલાકાત લેશે. રાજય સરકાર દ્વારા જે એકશન પ્લાન ઘડાયો છે, તે મુજબ અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ (Sabarmati River Front), સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી પ્લેન સેવા શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં અંબાજી પાસે ધરોઈ ડેમ-સરોવરમાં અને પાલીતાણા (Palitana) જવા માટે શેત્રુંજય ડેમ-સરોવરમાં સી પ્લેન ઉતરી શકે તેવી સુવિધા વિકસાવવામાં આવનાર છે.
પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદથી સી પ્લેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે, જયારે કેવડિયા ખાતે સમારંભ પૂર્ણ કરીને પરત સી પ્લેનમાં આવશે, તેમ મનાય છે. દરમ્યાનમાં આગામી તા.17મી સપ્ટે.ના રોજ પીએમ નરેન્દ્ર મોદી તેમના જન્મ દિને પણ અમદાવાદની મુલાકાતે આવે તેવી સંભાવના છે. આ દિવસે પીએમ મોદી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસ (Civil Hospital Campus)માં નવા આકાર પામેલા યુએન મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital)ના ઉદ્ધાટનમાં હાજરી આપશે, તેમ મનાય છે.
બીજી તરફ સી પ્લેનની વાત કરીએ તો વિદેશોમાં તો સી પ્લેનનો ઉપયોગ થાય જ છે પરંતુ દેશમાં પણ આ પ્રોજેક્ટ શરૂ થયો છે અને દેશભરનાં 16 રૂટમાંથી ગુજરાતનાં બે જગ્યાને પસંદ કરાયા છે. સી પ્લેન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019નાં અંતિમ મહિનામાં ગુજરાતમાં મુસાફરી કરી હતી અને અંબાજી મંદિર ગયા હતા. હવે દેશમાં પણ સી પ્લેન ટુરિઝમ માટે મહત્વનું પગલુ સાબિત થશે.
વડાપ્રધાનની ગુજરાતની અંતિમ સૌથી મોટી મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ વાળી હતી જેમાં ટ્રમ્પે અમદાવાદની મુલાકાત કરી હતી. તેમનાં સ્વાગતમાં વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં તેમણે સંબોધન આપ્યુ હતુ અને સ્ટેડિયમમાં સવા લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. ટ્રમ્પ અને મોદીનો વિશાળ રોડ શો અમદાવાદ એરપોર્ટથી શરૂ થયો હતો. તેઓ શાહીબાગ, રિવરફ્રન્ટ થઈને ગાંધી આશ્રમ પહોચ્યા હતા અને હજારો લોકોએ બંનેને આવકાર આપ્યો હતો. તેમના સ્વાગતમાં માર્ગો પર વિવિધ કલાપ્રદર્શની તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ.