મદ્રાસ હાઈકોર્ટે બાળકોના સિંગલ પેરેન્ટીંગ પર સવાલ ઉભા કરતા કહ્યુ છે કે સિંગલ પેરેન્ટીંગ સમાજ માટે ખતરનાક છે. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટીસ એન કિરુબાકરને કહ્યુ કે સિંગલ પેરેન્ટીંગનું વધતુ ચલણ સમાજ પર પ્રતિકૂળ પ્રભાવ પાડી રહ્યુ છે. તેમણે કહ્યુ કે એક બાળકને માતાપિતા બંનેના પ્રેમની જરૂર હોય છે કોઈ એકલુ તેની પૂર્તિ કરી શકે નહિ. મદ્રાસ હાઈકોર્ટના જસ્ટીસ એન કિરુબાકરને કહ્યુ કે કોઈ પણ બાળકને જો માતાપિતામાંથી કોઈ એકનો પણ પ્રેમ ન મળે તો તે બાળકના વ્યવહારમાં ખાસ પ્રકારનો ફેરફાર આવી શકે છે. સિંગલ પેરેન્ટીંગથી બાળક સમાજની વિરુદ્ધમાં જઈ શકે છે. કોર્ટના 16 ડિસેમ્બર, 2015 ના આદેશનું પાલન નહિ કરવા માટે મહિલા તેમજ બાલ કલ્યાણ વિકાસ મંત્રાલય સામે ગિરિજા રાઘવન તરફથી દાખલ કરાયેલ અવગણના યાચિકા પર સુનાવણી કરવા દરમિયાન જસ્ટીસ એન કિરુબાકરને ટિપ્પણી કરી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.