અમદાવાદ : ચુંટણીએ લોકશાહીમાં લોકો માટેનો અનેરો લોકોત્સવ છે. લોકો દ્વારા, લોકો વડે અને લોકે થકી ચાલતી શાસન પ્રણાલી એટલે લોકશાહી. જો કે તડજોડની રાજનીતિએ આ વ્યાખ્યા વેર-વિખેર કરી નાખી છે. અને મનમોહન સિંહ જેવા રાજય સભાના સભ્ય કે જેઓ કદી ડીરેક્ટ ચુંટણી લડ્યા જ નથી તેમ છતાં આપણા વડાપ્રધાન બનીને તેઓએ શાસનની ધુરા સંભાળી. અને આવું તો કઈ કેટલુંય આ લોકશાહી નહિ પણ ઠોકશાહીમાં ચાલે છે. તેમ છતાં રામ રાજ્યની કલ્પનામાં જીવતા આપણે સૌ સાચે ન ભગવાન ભરોસે જીવીએ છીએ. બાકી આપના રાજકીય નેતાઓ તો એમની ખીચડી પકવવા કોઇપણ પ્રકારના ખેલ પર પાડતા હોય છે. અને એમના સઘળા પગલા ચુંટણીલક્ષી જ હોય છે. અને એટલે જ યુદ્ધની જેમ ભારતમાં પણ મોટાભાગનો નો સમય ચુંટણી કે ચુંટણીની તૈયારીઓમાં જ જતો હોય છે.
અને તમે નહિ માનો પણ ઘણા ખરા કામો પણ એના લીધે પુરા નથી થઇ શકતા અને કામ અને નાણાનો બેફામ દુર્વ્યય થાય છે. અને કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને જ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દેશ માં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓ એકસાથે કરાવવાનો સુજાવ આપ્યો છે. અને મોદીના સુજાવને સમર્થન આપતા લોકસભાના ઉપાધ્યક્ષ એમ.થંબીદુરાઈ એ કહ્યું છે કે, બંને ચુંટણીઓ એકસાથે કરાવવાથી સરકારી ખજાના પર અનાવશ્યક દબાવ અને પ્રશાશનીક બોજને હળવો કરી શકાય તેમ છે. અને તેનાથી બચેલા ધનનો ઉપયોગ સુશાન અને કલ્યાણકારી યોજનાઓ માટે પણ થઇ શકે એમ છે.
વિશેષમાં થંબીદુરાઈએ પોતાના લોકસભા અને રાજય વિધાનસભાની ચુંટણી સાથે કરાવવાનો ઉપયુક્ત સમય “ શીર્ષક સાથેના પોતાના લેખમાં જણાવ્યું છે કે, લગાતાર ચુંટણીઓ કરાવવાથી સરકારી ખજાનો પર કારણ વગરનો વધારાનો બોજો પડે છે. તથા સરકાર તથા ચુંટણી આયોગ પર પ્રશાશ્નીક બોજ પડે છે. તેમજ હજુ ભારત એક વિકાસશીલ દેશ છે આજે જાહેર થયેલ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ઘણું પાછળ ઠેલાયું છે. અને વ્યાપક આર્થિક અને સામાજિક અસમાનતાઓ પ્રવર્તે છે. ત્યારે વારંવાર કરાતી ચુંટણીના બદલે બચતા નાણામાં થી આ અસમાનતા દુર કરી શકાશે.
તેમજ વારંવારની ચુંટણીથી થતો બૃહદ ખર્ચ, સરકાર અને ચુંટણી પંચ પર પડતો વધારાના કાર્યભારનો બોજો, તથા સુશાશનની સમસ્યાઓ જે આપણી સામે આવે છે, તેનાથી ઉચિત રીતે નીપટી શકાય છે. બસ શરત તે જ છે કે, આપણે એ પુરાની ચુંટણી પ્રણાલીની તરફ પાછા ફરવું પડશે. જેનું અનુસરણ ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭ માં કરવામાં આવ્યું હતું. ત્યારે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચુંટણીઓ એકસાથે કરાવવામાં આવી હતી.અને સફળ પણ રહી હતી.
તેમજ ૨૦૦૯ માં લાલકૃષ્ણ અડવાનીએ પણ લોકસભા અને વિધાનસભાની ચુંટણીઓ સાથે કરાવવાનો સુજાવ આપ્યો હતો. અને સંસદની સ્થાયી સમિતિએ પણ એ પણ આ પર વિચાર કર્યો હતો. તો પ્રણવ મુખર્જીએ જાન્યુઆરીએમાં સંસદના બંને સદનને સંબોધિત કરતા તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પણ એક સાથે ચુંટણી કરવા પર સંબોધન કર્યું હતું.અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પણ કેટલીય વાર આ અંગે સૂચનો આપી ચુક્યા છે.
તેમને જણાવ્યું હતું કે, સંવિધાનના અનુ.૮૩ ( ૨) માં લોકસભા માટે ૫ વરસની અવધી નક્કી કરવામાં આવી હતી , જ્યાં સુધી સદનને ભંગ કરવામાં ના આવે. અને આજ રીતે અનુ.૧૭૨ (૧) માં રાજ્ય વિધાનસભાઓ માટે પહેલી બેઠકથી ૫ વરસની અવધી રાખવામાં આવી હતી. જો કે, લોકસભા અને રાજ્ય વિધાનસભા કરાવવા કોઈ સૈવાધાનીક પ્રાવધાન નથી. પરંતુ લોકસભા અને રાજ્ય વિધાનસભા ની ચુંટણીઓ અલગ અલગ યોજવાના કારણે દર વરસે દેશના કોઈ ને કોઈ હિસ્સામાં ચુંટણીઓ ચાલુ જ રહે છે.જેને કરને ચુંટણી પંચ સતત વ્યસ્ત રહે છે.
આગામી ૨૦૧૯ માં ૧૦ રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે. જેમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ, અરુણાચલ, તેલંગાના, આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઓડીસા નો સમાવેશ થાય છે. ત્યારે આ સુજાવના પગલે ચુંટણી પંચે એટ લીસ્ટ હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચુંટણી સાથે યોજી હોત તો ….