‘વન નેશન વન રાશન કાર્ડ’ સ્કીમ 24 રાજ્યોમાં લાગૂ થઈ ગઈ છે. અન્ય રાજ્યોમાં જલ્દીથી લાગૂ કરવાની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યુ છે. આ યોજના હેઠળ એક રાજ્યનું રેશનકાર્ડધારક અન્ય રાજ્યમાં કોઈ પણ અડચણ વગર અનાજ ખરીદી શકશે. જમ્મૂ અને કાશ્મીર, મણિપુર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડને મેળવીને રાશન કાર્ડ પોર્ટેબિલિટી પ્લેટફોર્મ પર હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા 24 છે.આ યોજના લાગૂ થયા બાદ રાશનધારકોના મનમાં એક સવાલ છેકે, અન્ય રાજ્યોમાંથી અનાજ ખરીદવા માટે તેમણે નવું રાશનકાર્ડ બનાવવું પડશેકે હાલનાં રાશનકાર્ડથી જ કામ થઈ જશે. ત્યારે સરકારે આ યોજના હેઠળ જૂના રાશનકાર્ડ પર જ અનાજ આપવા પર હામી ભરી છે. એટલેકે, તમે તમારા હાલનાં રાશનકાર્ડની મદદથી તે રાજ્યમાંથી પણ રાશનની ખરીદી કરી શકશો જે આ યોજનામાં સામેલ છે.જણાવી દઈએકે, આ યોજનામાં જમ્મૂ અને કાશ્મીર, મણિપુર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડ સિવાય આંધ્રપ્રદેશ, બિહાર, દાદારા અને નગર હવેલી, દમણ અને દીવ, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરપ્રદેશ સહિત 20 રાજ્યો અને સંઘ સાશિત પ્રદેશ તેમાં સામેલ થઈ ચૂક્યા છે.જો તમે હજી સુધી તમારું રાશન કાર્ડ બનાવડાવ્યુ નથી તો તમે તેને બહુજ સરળતાથી બનાવી શકો છો. રાશન કાર્ડ માટે અપ્લાય કરવા માટે તમારે તમારા રાજ્યનાં અન્ન નાગરિક પુરવઠા વિભાગના પોર્ટલ પર વિઝિટ કરવી પડશે. અલગ-અલગ રાજ્યોમાં માટે પોત-પોતાના પોર્ટલ હોય છે. એવામાં તમાપે આ પોર્ટલથી રાશનકાર્ડના અરજી ફોર્મને ડાઉનલોડ કરવાનું રહેશે. ફોર્મને સારી રીતે ભરીને નજીકનાં રાશન ડીલર અથવા ફૂડ સપ્લાય ઓફિસની પાસે જમા કરાવવાનું રહેશે. ગ્રામીણ ક્ષેત્રથી છે તો ફોર્મને તાલુકા કાર્યાલયમાં જમા કરાવી શકો છો.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.