એમેઝોન અને ફ્લિપકાર્ટ બજેટમાં ઈ-કોમર્સ ટ્રાન્જેક્શન પર એક ટકા TDS લગાવવાની જોગવાઈ પર સ્પષ્ટીકરણ માટે સરકારના પ્રતિનિધિઓ બેઠક કરશે. એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તા અનુસાર કંપની બજેટમાં ઈ-કોમર્સ કંપનીઓ પર લગાવવામાં આવેલા એક ટકા TDS પર સરકાર પાસે સ્પષ્ટીકરણ માગશે. કંપની તરફથી આ પ્રપોજલની સમીક્ષા કરવામાં આવી રહી છે જેથી તપાસ કરવામાં આવી શકે કે, તેના પ્લેટફોર્મ પર MSME કંપનીઓ અને સેલર્સ પર કેવી અસર પડશે.
બજેટ 2020માં કહેવામાં આવ્યું છે કે, ટેક્સ નેટ વધાર માટે ઈ-કોમર્સ કંપનીઓને પણ ટેક્સ નેટમાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના માટે ઈનકમ ટેક્સ એક્ટમાં એક નવા સેક્શન 194-O ઉમાવારવામાં આવ્યું છે. તે હેઠળ ઈ-કોમર્સ કંપનીઓના ટ્રાન્જેક્શન પર એક ટકા ટેક્સ લગાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. નવા નિયમો 1 એપ્રિયથી લગુ થઈ જશે.
આ જોગવાઈ અનુસાર ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓના પ્લેટફોર્મ પર દરેક ટ્રાન્જેક્શન પર એખ ટકાની TDS લગાશે. એટલે કે, કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર હાજર સેલર્સના હરેક ટ્રાન્જેક્શન પર એક ટકા TDS કટ કરીને સરકારની પાસે જમા કરવામાં આવશે. જોગવાઈ તે સેલર્સ પર લાગુ નહી થાય જેના પાછલા વર્ષ ઈ-કોમર્સ ઓપરેટરથી થનારા વેચાણ પાત લાખ રૂપિયાથી ઓછું થઈ શકે છે.
BookMyShowના ફાઈનેન્સ હેડ મિતેશ શાહે કહ્યું કે, ઈ-કોમર્સ પર વેચાનાર ચીજો અને સર્વિસ પર હવે એક ટકા TDS કટ કરવુ ફરજિયાત હશે. તે GST પર લાગતા ટેક્સ ઉપરાંત હશે. તેનાથી ઈ-કોમર્સ કંપનીઓનો ખર્ચ વધશે.શાહે નિવેદન કહ્યું કે, કંપનીઓ હવે આ ભાર ગ્રાહકોના માથે નાખી શકે છે.