“ભારત નિર્માણ” પ્રદર્શન દક્ષિણ ગુજરાતના વ્યારા ખાતે તારીખ 2-3 ફેબ્રુઆરી બે દિવસ નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.”ભારત નિર્માણ” પ્રદર્શનનું ઉદ્ઘાટન તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ ગજરાબેન ચૌધરી, કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશી, પૂર્વ સાંસદ અમરસિંહભાઈ ચૌધરી,વ્યારાના ધારાસભ્ય પુનાભાઈ ગામીત,જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભિલાભાઈ ગામીત વ્યારા તાલુકા પ્રમુખ ગમન ગામીત હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં હિરેન બેન્કર, સુરેશ ગામીત, હેમંત ગામીત,તેજસભાઈ ચૌધરી મહેશ ગામીત,વિજયભાઈ ઉપાધ્યાય સહિત તાલુકા- જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યઓ, કોંગ્રેસ પક્ષનાં હોદ્દેદારો પ્રદર્શનને નિહાળીને વધુમાં વધુ લોકો સુધી “ભારત નિર્માણ” અંગે પ્રચાર પ્રસાર થાય તે દિશામાં કામ કરશે અને નવી પેઢીને જાગૃત કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રદર્શન ને નિહાળવા માટે મોટી સંખ્યામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિધાર્થી-વિદ્યાર્થીનીઓ, સ્થાનિક નાગરિકો, યુવાનો અને આગેવાનોએ ભારત નિર્માણ પ્રદર્શન જોઇને આઝાદી પછી દેશમાં થયેલી આમૂલ પ્રગતિને નિહાળી આનંદ અનુભવ્યો હતો અને જુદા જુદા સમયે દેશ નિર્માણ માટે થયેલ કામની વિગત મેળવી હતી.