પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને સવાલો ઉઠાવ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે આમાં પારદર્શિતાનો અભાવ છે. તેમણે 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કોઈ એક પક્ષની દખલગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે ઈમરાન ખાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચારમાં પુરી તાકાત લગાવવા કહ્યું.
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને સવાલો ઉઠાવ્યા છે.
ઈમરાન ખાને કહ્યું કે આમાં પારદર્શિતાનો અભાવ છે. તેમણે 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કોઈ એક પક્ષની દખલગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
આ સાથે ઈમરાન ખાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચારમાં પુરી તાકાત લગાવવા કહ્યું. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને અદિયાલા જેલમાં સિફર કેસની સુનાવણી બાદ પત્રકારો સાથે વાત કરી હતી, ત્યારે તેમણે આ ટિપ્પણી કરી હતી. જો કે જેલ સુપ્રિટેન્ડેન્ટે પત્રકારો સાથે રાજકીય મુદ્દા પર વાત કરતા નારાજગી વ્યક્ત કરી હતી.
જેલ સુપ્રિટેન્ડેન્ટની નારાજગીના જવાબમાં ઈમરાન ખાને કહ્યું કે પત્રકારો સાથે વાત કરવી તેમનો અધિકાર છે
ત્યારબાદ જેલ અધિક્ષકે કહ્યું કે જો તેઓ પત્રકારો સાથે વાત કરવા ઈચ્છે છે તો તેમણે જજની પરવાનગી લેવી પડશે.