પતંજલિ આયુર્વેદએ કોરોના ઉપચાર માટે 100% અસરકારક દવા બનાવી છે. હાલ ડ્રગ પરીક્ષણ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તે વૈજ્ઞાનિક પુરાવા સાથે લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે, તેની દવાઓ, યોગાસન, શાકાહારી આહાર અને શુદ્ધ અહિંસક જીવન અપનાવીને કોરોના ચેપ 100 ટકા મટાડવામાં આવે છે. આ દવાઓના ઉત્પાદનમાં તુલસી, અશ્વગંધા જેવી સો હર્બ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સોમવારે મીડયા સાથેની વાતચીતમાં બાબા રામદેવે કહ્યું કે, કોરોના મનુષ્યના ખોટા આચર-વિચાર અને હિંસક ભોજનનું પરિણામ છે. જો કોઈ માણસ અહિંસક રીતે જીવે છે, શુદ્ધ અને સાત્વિક ખોરાક લે તો તેની નીતિમત્તા અને વર્તનને બરાબર રાખે છે, તો તેને ક્યારેય પણ કોરોના જેવા રોગચાળાનો સામનો કરવો નહીં પડે.